શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 17 માર્ચ 2018 (10:07 IST)

હેલ્થ કેર : શુ આપ સલાદના આ ફાયદા વિશે જાણો છો ?

ડુંગળી - ડુંગળીના સલાદથી આંખોની જ્યોતિ વધવાની સાથે સાથે ભૂખ પણ વધે છે. આ ત્વચાના રોગ, કોલેરા અને પેટની બીમારીઓમાં પણ ફાયદાકારી છે. 
 
ખીરા (કાકડી જેવુ ફળ) આ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. કબજિયાત દૂર કરવા ઉપરાંત ગરમીની ઋતુમાં થનારી સમસ્યાઓમાંથી છુટાકારો પણ અપાવે છે. 
કાકડી - કાકડીમાં પ્રચુર માત્રામાં પોટેશિયમ હોય છે જે આપણા શરીરમાં બ્લડપ્રેશરની માત્રા પર નિયંત્રણ મુકે છે. તેનુ સેવન કરવાથી પાચન ક્રિયા પણ યોગ્ય રહે છે. 
 
ટામેટા - ટામેટામાં વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ કબજિયાત, પાચન શક્તિ અને બ્લડ પ્રેશરમાં ફાયદાકારી છે. 
 
મૂળા - રોજ આનુ સેવન કરવાથી પેટની ગેસ અને પથરી જેવા રોગોમાં રાહત મળે છે. 
ગાજર - આ ત્વચાના રોગોને દૂર કરવા અને નેત્ર જ્યોતિ વધારવામાં ફાયદાકારી હોય છે. ગાજર ત્વચા પરથી દાગ ધબ્બા હટાવી ગ્લો લાવે છે. તેનાથી શરીરમાં હીમોગ્લોબિન વધે છે. 
 
લીંબૂ - સલાદ પર લીંબૂ નીચોડવુ પણ જરૂરી છે. કારણ કે લીંબૂ વિટામિન સી નો ભંડાર છે. આ સલાદને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત સ્કર્વી રોગથી પણ દૂર રાખે છે.