મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શુ ભાત ખાવાથી વજન વધે છે ?

જાડાપણાથી બચવા માટે મોટાભાગે કેટલાક લોકો ભાત ન ખાવાની સલાહ આપે છે. જે ખોટી છે. નો તો ભાત ખાવાથી ફેટ વધે છે અને ન તો તેમા વધુ કેલોરી જોવા મળે છે. 
 
અડધો કપ બાફેલા ચોખામાં લગભગ 120 કેલોરી હોય છે. લગભગ આટલી જ કેલોરી ઘઉંની રોટલી કે બ્રેડ જેવા કાર્બોહાઈડ્રેટ યુક્ત અનાજમાં પણ રહેલી હોય છે. એક નાનકડી રોટલી કે એક સ્લાઈસ બ્રેડમાં 80-90 કેલોરી હોય છે. 
 
ભાતમાં રહેલ સ્ટાર્ચમાં ખનિજ-લવણ અને વિટામિન પણ હોય છે. તેને બાફતા પહેલા તેને વારેઘડીએ ધોશો નહી. ઉલ્લેખનીય છે કે જાપાનના લોકો રોજ ભોજનમાં એકવાર ભાત જરૂર સામેલ કરે છે અને દુનિયાભરમાં સૌથી ઓછા જાડાપણાનો દર અહી છે. 
ભાતને ઘણા પ્રકારની ધારણાએ છે જેના વિશે જાણવા જરૂરી છે કારણ કે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોના મુખ્ય ભોજન ભાત છે. સૌથી દીર્ઘાયુ વાળા દેશ જાપાનમાં પણ લોકો મુખ્ય રૂપથી ભાત ખાય છે. આવો જાણે ભાતના વિશે થોડા ભ્રમ અને એમની સચ્ચાઈ. 

 
1. એમાં કાર્બોહાઈડ્રેટ છે ? 
ભાતમાં કાર્બોહાઈડ્રેટ ની સાથે જિંકની માત્રા પણ હોય છે જે શરીરને ફિટ રાખે છે. 
 
2. ભાત ખાવાથી વજન વધે છે ? 
યોગ્ય માત્રામાં ખાય તો રોગોથી લડવામાં મદદગાર છે. ભાતમાં રહેલા સ્ટાર્ચમાં ખનિજ લવણ અને વિટામિન હોય છે આથી એને રાંધવાથી પહેલા વાર-વાર ધોવા નહી જોઈએ. 
ઉપયોગી 
ભાત અને મગની દાળની ખિચડી ખાવથી મગજના વિકાસ થાય છે. કાર્બોહાઈડ્રેટના કારણે એને ઉર્જાના સારા સ્ત્રોત ગણાય છે. ભાતમાં દૂધ અને ખાંડ મિક્સ કરી ખાવાથી પેટ સાફ થાય છે. માઈગ્રેન થતા રાત્રે સૂતા પહેલા ભાતને મધ સાથે ખાવો.