શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By

kids Story- ઘમંડીનો માથું નીચું

નારિયેળના ઝાડ ખૂબ ઉંચા હોય છે અને જોવામાં પણ બહુ જ સુંદર હોય છે. એક વાર એક નદીના કાંઠે નારિયેળનો ઝાડ લાગેલું હતું. એના પર નારિયેળને એમના ઝાડને સુંદર હોવા પર બહુ જ ગર્વ હતું. સૌથી ઉંચાઈ પર બેસવાના પણ એમને માન હતું . આ કારણે ઘમંડમાં નારિયેળ હમેશા નદીના પત્થરને નાનું પડેલું કહીને એમનો અપમાન કરતો રહેતો. 
 
એક વાર શિલ્પ કારે એ પત્થરને લઈને બેસી ગયા અને એને તરાશવા માટે એના પર ઘણા રીતે પ્રહાર કરવા લાગ્યા. આ જોઈને નારિયેળને વધારે આનંદ આવી ગયું એં કહ્યું - એ પત્થર ! તારું પણ શું જીવન છે પહેલા એ નદીમાં પડી રહીને અહીં-તહી ટકરાવતો રહ્યું અને બહાર આવતા માણસના પગના નીચે દબાવતું રહ્યું અને આજે તો બહુ જ થયું , આ શિલ્પી આવીને તારા પર ઘા કરી રહ્યા છે. મને જો હું કેવી રીતે શાનથી આ ઉંચા ઝાડ પર બેસ્યો છું. પત્થર પર આ વાત પર ધ્યાન નહી આપ્યું નારિયેળ રોજ આવી જ રીતે પત્થરને અપમાનિત કરતો રહ્યું. 
થોડા દિવસ પછી એ શિલ્પકારએ પત્થરને તરાશીને શાલિગ્રામ બનાવ્યા અને પૂર્ણ આદર સાથે એમની સ્થાપના મંદિરમાં કરી. પૂજા માટે નારિયેળને પત્થરના બનેલાએ  શાલિગ્રામના ચરણોમાં ચઢાવ્યું . એના પર પત્થરે નારિયેળથી બોલ્યું- નારિયેળ ભાઈ- કષ્ટ સહીને મને જે જીવન મળ્યું એનામાં ઈશ્વરની પ્રતિમાનો માન મળ્યું. હું આજે તરાશતા ઈશ્વરના સમતુલ્ય ગણાયો છું. જે સદૈવ હમેશા કર્મ કરે છે એ આદરના પાત્ર બને છે. પણ જે અહંકાર/ ઘમંડના ભાર લઈ ફરે છે એ નીચે આવીને પડે છે. ઈશ્વર માટે સમર્પણનો મહત્વ છે ઘમંડનો નહી. પૂરી વાત નારિયળએ માથા નમાવીને સ્વીકાર કરી . જેના પર નદી બોલી એને કહે છે ઘમંડીનો માથું નીચું. 
 
આ વાર્તાથી શીખ મળે છે કે અમે ઘમંડ કરીને પોતાનો જ અપમાન કરીએ છે.  ઘમંડ માણસ જીવન માટે એક શત્રુની રીતે જ છે જે હમેશા એમના માટે વિનાશના માર્ગ બને છે.