ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (17:49 IST)

મોદીનું ગજબ પ્લાનિંગ, માત્ર 15 મિનિટમાં જ ચીનના દરવાજા પર પહોંચી જશે સેના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઑન ઈકોનોમિક અફેયર્સે બુધવારે 12178 કરોડના જે પ્રોજેક્ટને મંજુરી આપી છે. તેમાથે એકે છે જોજિલા ટનલ. આ ટનલને કારણે ભારતીય સેના માત્ર 15 મિનિટમાં લેહ પહોંચી જશે.  ચીન ભારતની આ નબળાઈને સારી રીતે ઓળખે છે કે ડિસેમ્બરથી લઈને એપ્રિલ સુધી જોજિલા બંધ રહે છે અને તેને કારણે સેના રસ્તા પરથી લદ્દાક સુધી પહોંચી શકતી નથી. પણ આ નબળાઈ પણ હવે દૂર થઈ જશે. જમ્મુ-કાશ્મીરમાં 2 લેનવાળા બાઈ ડાયરેક્શનલ જોજિલા ટનલ અને તેના પૈરલલ એસ્કેપ (એગ્રેસ) ટનલના કંસ્ટ્રક્શન, ઓપરેશન અને મેંટીનેસને મંજૂરી આપી દીધી. આ બધા કામ એંજિનિયરિંગ પ્રોક્યોરમેંટ અને કંસ્ટ્રકશન (EPC)  મોડના આધાર પર થશે.  જો કે આ મંજૂરીમાં  NH-1A ને જોડનારા શ્રીનગર-લેહ સેક્શનનુ કામ સામેલ નથી. 
 
જાણો કેવી રીતે મળશે ચીનને સીધો પડકાર 
 
હાલ 6 મહિના જ રહે છે કનેક્ટિવિટી 
 
જોજિલા ટનલનુ નિર્માણ શ્રીનગર, કારગિલ અને લેહને દરેક ઋતુમાં જોડી રાખશે.  હાલ લેહ સાથે કનેક્ટિવિટી વધુમાં વધુ 6 મહિના સુધી રહે છે.  હાલ આ રૂતથી જવામાં 3 કલાકનો સમય લાગે છે.  એ પણ ત્યારે જ્યારે વાતાવરણ સાફ રહે. પણ સુરંગ બની ગયા પછી માત્ર 15 મિનિટ લાગશે.  પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે મારી માહિતી મુજબ આ એશિયાની સૌથી લાંબી ઓલ વૈદર ટન રહેશે.  આ ઉપરાંત આ દુનિયાની સૌથી ઊંચી સુરંગમાંથી એક રહેશે. 
રોકાણ છે 6,808 કરોડ 
 
આ પ્રોજેક્ટની સિવિલ કંસ્ટ્રક્શનની કોસ્ટ 4,899.42 કરોડ રૂપિયા છે.  પ્રોજેક્ટની કૈપિટલ કોસ્ટ 6,808.69 કરોડ રૂપિયા છે. તેમા જમીન પર કબજો,  પુનર્વાસ અને અન્ય પ્રી કંસ્ટ્રકશન ગતિવિધિયો અને 4 વર્ષ સુધી ટનલની મેંટીનેસ અને ઓપરેશન કોસ્ટનો સમાવેશ છે.