મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (16:24 IST)

જો તમે પણ ફુલાવર ખાઓ છો તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે

જો તમે પણ ફુલાવર ખાઓ છો તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે 
ફુલાવર માત્ર એક શાક જ નહી પણ તેમાં તમારા આરોગ્યને સારું રાખવા ઘણા ગુણ હોય છે. ફુલાવરને તેમના આહારમાં શામેળ કરી તમે ઘણા રોગોથી બચી શકે છે. 
 
સાથે જ ઘણા રોગ થતા પર તમે  ફુલાવરથી તેમનો ઉપચાર પણ કરી શકે છે. સરળતાથી મળતી ફુલાવરમાં ઘણા ઔષધીય ગુણ પણ છે. ફુલાવરને પકાવીને અને કાચુ સલાદ રૂપમાં ખાઈ શકાય છે. પણ વધારે લાભ માટે તેને કાચી ખાવી જ સારું રહે છે.ફુલાવરને વધારે પકાવવાથી તેમાં રહેલ પોષક તત્વ અને વિટામિન નષ્ટ 
થઈ જાય છે. 
 
તેમાં રહેલ ફાઈબર વજન ઓછું કરવા અને પાચન ક્રિયાને ઠીક રાખવામાં મદદ કરે છે. તેમાં ઉપસ્થિત ગુણ ઔષધીય ગુણોની રીતે પ્રભાવી અને ફાયદકારી છે. 
 
ફુલાવરમાં એવા તત્વ અને ઘટક છે. જે માનવ શરીરમાં રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે અને સમયમાં આવનારી વૃદ્ધાવસ્થાને રોકે છે. ફુલાવરમાં દૂધ બરાબર કેલ્શિયમ હોય છે. જે હાડકાઓને મજબૂત કરે છે. ફુલાવરના વચ્ચે ઉતેમજક, પાચન શકતિને વધારવા અને પેટના કૃમિને નષ્ટ કરતા હોય છે.આવો જાણીએ 
ફુલાવર ખાવાથી શું લાભ હોય છે. 
 
ફુલાવરના સેવનથી મોતિયાબિંદનો ખતરો ઓછું થઈ જાય છે. તેના સતત સેવનથી શરીરમાં બીટા કેરોટિન વધી જાય છે. જેનાથી આંખ સ્વસ્થ રહે છે. 
 
ફુલાવર એક એવી શાક છે જેના સેવનથી વજનને પણ ઓછું કરી શકાય છે. ફુલાવરમાં માત્ર 33 કેલોરી હોય છે જેનાથી વજન નહી વધે છે. ફુલાવરનો સૂપ શરીરને ઉર્જા આપે છે પણ વસાની માત્રાને ઘટાડે છે. 
 
બવાસીર થતા જંગલી ફુલાવરનો રસ કાઢી તેમાં કાળી મરી અને શાકર મિક્સ કરી પીવાથી મસાથી લોહી નિકળવું બંદ થઈ જાય છે.