મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:39 IST)

સૌરાષ્ટ્રની પંજાબ નેશનલ બેંકની શાખાઓમાંથી લોકોએ ટપોટપ થાપણો ઉપાડવા માંડી

દેશની બીજા નંબરની ટોચની બેંક એવી પંજાબ નેશનલ બેંકમાં તાજેતરમાં રૂ.૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ આ બેંકના થાપણદારોમાં ચિંતાના ઘોડાપુર ઉમટી પડયા છે અને પરિણામ સ્વરૂપ આ બેંકમાં રહેલી પોતાની થાપણો ટપોટપ ઉપાડવા લાગ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે બેંકના વર્તુળોએ જણાવ્યુ હતુ કે, રાજકોટની પંજાબ નેશનલ બેંકની ૭ સહિત સૌરાષ્ટ્રમાં આવેલી કુલ પર (બાવન) બ્રાન્ચોમાંથી છેલ્લા બે દિવસમાં કરોડો રૂપિયાની થાપણો ઉપાડી લેવામાં આવી છે.

જો કે વર્તુળોએ દાવો કર્યો છે કે આ બેંક સરકારી બેંક હોવાથી બંધ થવાની નથી  માત્ર ડરના માર્યા થાપણદારો પોતાની થાપણો ઉપાડી રહ્યા છે. આ અંગે બેન્કીંગ વર્તુળોએ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં મુંબઇ સ્થિત આ બેંકની શાખામાં ૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ  બેંકના ખાતેદારો-થાપણદારોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ અને તેની સીધી અસર બેંકની રાજકોટ-સૌરાષ્ટ્રની શાખાઓ ઉપર પડી હતી. આ બેંકની રાજકોટમાં જયુબેલી ચોક, આર.કે.નગર, શિવનગર, કાલાવાડ રોડ, મોટા મવા સર્કલ, રૈયા રોડ વગેરેએ શાખાઓ આવેલી છે જયાં છેલ્લા બે દિવસમાં કરોડો રૂપિયાની થાપણો થાપણદારોએ કટકે-કટકે ઉપાડી લીધી છે. આવી જ સ્થિતિ આ બેંકની સૌરાષ્ટ્રમાં આવેલી તમામ પર શાખાઓ જોવામાં મળી છે.