શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

જો ઘરમાં કરશો આ 5 ઉપાય તો મળશે પૈસો

ઘરમાં લક્ષ્મી લાવવા માટે  તમે ખૂબ મહેનત કરે છે. ક્યારેય ક્યારે ત્યારબાદ પણ તમને સફળતા નથી મળતી. આમ તો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ખુશીયો લાવવાનો અનેક ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોથી લોકો ઘરમાં સુખ સમૃદ્ધિ અને જીવનમાં ખુશહાલી લાવે છે. આવામાં કેટલાક સહેલા ઉપાયથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ શકે છે.. તો આવો જાણીએ આ ઉપાય... 
 
1. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે ઈચ્છો છો કે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે તો ઘરની તિજોરીમાં તમે હળદર મુકો. હળદરની એક ગાંઠ તમે તિજોરીમાં પણ મુકી શકો છો. 
 
2. ઘરના દક્ષિણ-પૂર્વી ખૂણામાં તમે એક વાડકીમાં પક્ષીયો માટે પાણી મુકો. તેનાથી તમારા ઘરમાં લોકોના આવકના સ્ત્રોત વધશે અને તમારા ઘરે પૈસા આવશે. 
 
3. ઘરમાં લક્ષ્મીનો વાસ હોય કે ઘરમાં પૈસાનુ આગમન થતુ રહે એ માટે તમે ઘરની તિજોરીમાં કુબેર યંત્ર મુકો. તેનાથી વાસ્તુદોષ દૂર થશે અને પૈસા આવશે. 
 
4. ઘરમાં પિરામિડ જેવુ મંગલ યંત્ર મુકો. તેને ઘરમાં મુકવાથી વસ્તુદોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
5. વાસ્તુશાસ્ત્ર મુજબ તમે ઘરમાં એક્વેરિયમ પણ રાખી શકે છે. ઘરમાં એક્વેરિયમ હોવાથી તમને આવી રહેલ ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.