Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

મંગળવાર, 13 મે 2025 (12:52 IST)
Budhwa Mangal 2025 Significance: જેઠ મહિનામાં આવનારા મંગળવારને મોટો મંગળ કે બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે.  આ દિવસે હનુમાનજીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.  જેઠ મહિનાના મંગળવારના દિવસે બજરંગબલીની આરાધના કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે.  ઉલ્લેખનીય છે કે જેઠ મહિનાના મંગળવારના દિવસે હનુમાનજીના વૃદ્ધ રૂપની પૂજા કરવામાં આવે છે.  તેથી આ મહિનામાં પડનારા મંગળવારને બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે.  તો આવો હવે અમે તમને બતાવીશુ કે બુઢવા મંગળ સાથે જોડાયેલ પૌરાણિક કથા શુ છે.  
 
જ્યેષ્ઠ મંગળવારને બુઢવા મંગલ કેમ કહેવામાં આવે છે?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહાભારત કાળ દરમિયાન, કુંતીના પુત્ર ભીમને પોતાની શક્તિ અને તાકત પર ગર્વ થયો. આવી સ્થિતિમાં, ભીમને પાઠ ભણાવવા માટે, બજરંગબલીએ એકવાર વૃદ્ધ વાંદરાના રૂપમાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ, એક વૃદ્ધ વાંદરાના રૂપમાં, ભીમને હરાવ્યો, જેના પછી ભીમે પોતાની શક્તિ પરનુ અભિમાન દૂર થઈ ગયુ.   એવું કહેવાય છે કે એ  જેઠ મહિનાનો મંગળવાર હતો જ્યારે રામ ભક્ત હનુમાન એક વૃદ્ધ વાંદરાના રૂપમાં આવ્યા હતા. ત્યારથી, જ્યેષ્ઠ મહિનાના દરેક મંગળવારને બુઢવા મંગળ તરીકે ઓળખવામાં આવે છે.
 
બુઢવા મંગલનું મહત્વ
બુઢવા મંગળના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બુદ્ધિ, જ્ઞાન અને શક્તિમાં વધારો થાય છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિને દરેક ભયમાંથી મુક્તિ મળે છે અને ઘર અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે. બુઢવા મંગળના દિવસે, બજરંગબલીની સાથે ભગવાન શ્રી રામની પૂજા કરો, તો જ તમને પૂજાનો સંપૂર્ણ લાભ મળશે.
 

વધુ જુઓ..

50 પ્લસ વાળી મહિલાઓએ વજન ઘટાડવા માટે રોજ કેટલું ચાલવું જોઈએ ? આટલા સ્ટેપ્સ ચાલવાથી થશે વેટ લોસ

આ રીતે બનાવો ચટપટી પાવ- ભાજી- Pav Bhaji

Pregnancy Test માં એક રેખા Dark હોય અને બીજી ઝાંખી હોય તો તેનો શું અર્થ થાય છે? નિષ્ણાતો પાસેથી જાણો.

કેરીની ગરમી ઓછી કરવા માટે આ સરળ ટિપ્સનો ઉપયોગ કરો

Watermelon Kulfi Recipe - માત્ર 10 મિનિટમાં ઠંડી તરબૂચ કુલ્ફી

વધુ જુઓ..

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -14 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 મે 2026

Ekadashi Upay: દરેક કામમાં આવી રહ્યો છે અવરોધ ? અપરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, બધા દુઃખ થશે દૂર

હનુમાનજી ના પિતા નું નામ શું હતું, ગદા નું નામ શું હતું

આગળનો લેખ
Show comments