Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફળતા માટે રોજ સવારે ઉઠીને કરો આ 7 કામ

શનિવાર, 20 માર્ચ 2021 (09:43 IST)
દરેક કોઈ પોતાના દિવસની શરૂઆત સારી રીતે કરવા માંગે છે. જેથી તેમનો આખો દિવસ સારો રહે. આ માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવ્યા છે જેને કરવાથી તમારા દિવસની શુભ શરૂઆત થશે અને તેને જીવનમાં અપનાવી લેવાથી ઘણા ફાયદા પણ થશે તો આવો જાણીએ રોજ સવારે શુ કરવુ જોઈએ. 
 
1, સૌ પ્રથમ, વહેલી સવારે જલ્દી ઉઠો 
 
 જો તમે વહેલી સવારે ઉઠો છો, તો પછી તમે આખો દિવસ શરીરમાં તાજગી અનુભવો છો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે, તમારે સૂર્યોદય થતાંની સાથે જ પલંગ છોડી દેવો જોઈએ.
 
2. તાંબાનાં વાસણમાં મુકેલું પાણી પીvo 
 
તમારે દરરોજ સવારે ઉઠીને  તાંબાનાં વાસણમાં મુકેલું પાણી પીવું જોઈએ, તમારે રાત્રે તે તાંબાનાં વાસણમાં ભરી લેવું જોઈએ, જેથી સવારે તમે પાણી પી શકો, જે પેટને લગતા દરેક રોગને મટાડશે, પરંતુ એક વાત ધ્યાન રાખજો કે તમારે આ કાર્ય ડોક્ટરની સલાહ સાથે કરવું જોઈએ.
 
3  રોજ યોગ અને ધ્યાન કરો
 
લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન રહેવા માટે તમારે દરરોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ, જેથી તમે તમામ પ્રકારના રોગોથી બચી શકો, ધ્યાન ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવે છે, યોગ શરીરને શક્તિશાળી બનાવે છે અને રોગો સામે લડવા માટે છે. તમને ઘણી મદદ મળશે.
 
4 રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચઢાવો 
 
શાસ્ત્રોમાં વર્ણવ્યુ છે કે જે  લોકો સૂર્યને નિયમિતપણે જળ ચઢાવે છે, તે લોકો સમાજમાં માન-સન્માન મેળવે છે અને આરોગ્યની સાથે લાંબુ જીવન પણ મેળવે છે.
 
5 તુલસીને જળ ચઢાવો 
 
તમારે દરરોજ સવારે ઉઠીને તુલસીને જળ ચઢાવવું જોઈએ, જેથી તમારા પર દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે.   શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીની દેખરેખ કરે છે તેમને ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે કાયમ રહે છે. 
 
6 તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરો
 
તમારે તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ અને ત્યાં ધૂપ-દીપ અગરબત્તી પ્રગટાવવી જોઈએ. જેના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધ  થશે અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જશે.
 
7 ઘરમાંથી નીકળતા પહેલા દહીનુ સેવન જરૂર કરો 
 
તમારે રોજ ઘર છોડતા પહેલા થોડુ  દહીંનું સેવન કરવું જોઈએ, જેથી તમારા કામમાં અવરોધ ન આવે અને તે શુભ માનવામાં આવે છે.

વધુ જુઓ..

જવાનીમાં કમજોર થઈ રહ્યા છે પગ, સોજો, દુઃખાવો અને ચાલવા ફરવામાં થઈ રહી છે પરેશાની ? આ હોઈ શકે છે કારણ

ઉપવાસમાં બનાવો હલકો અને પૌષ્ટિક ભોજન: સમા અને રતાળુનો ડોસો

Kitchen Hacks: શુ તમે પણ મહિનાઓથી એક જ વાસણ ઘોવાનો સ્પંજ યુઝ કરો છો ? તો જરૂર જાણો તેના નુકશાન

પનીર ભુર્જી સેન્ડવિચ – હેલ્ધી પણ, ટેસ્ટી પણ! ઘરે બનાવો સરળ રેસીપી

સાચી મિત્રતાની કસોટી

વધુ જુઓ..

ગુરૂવારે કેળાના ઝાડની પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? જાણો કયા લોકોએ જરૂર કરવી જોઈએ આ પૂજા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 જુલાઈ 2026

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

આગળનો લેખ
Show comments