Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mauni Amavasya 2022: મૌની અમાસના દિવસે ન કરશો આ 5 કામ

Updated: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (17:34 IST)
મૌની અમાસ 1 ફેબ્રુઆરી, મંગળવારે છે. આ દિવસે પિતૃ પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.  મૌની અમાસ પર મૌન રહેવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. માઘી અમાવસ્યા એટલે કે  મૌની અમાસ સ્નાન માટે ખૂબ જ વિશેષ કહેવાય છે. કારણ કે આ દિવસે વ્રત કરનારા લોકોએ દિવસભર ઋષિમુનિઓની જેમ મૌન રહેવું જોઈએ. તેથી જ આ અમાવાસ્યાને  મૌની અમાસ કહેવામાં આવે છે.

એવુ કહેવાય છેકે  મૌની અમાસના દિવસે નકારાત્મક ઉજાનો પ્રભાવ વધુ જોવા મળે છે. તેથી આ દિવસે પૂજા, જપ-તપ કરવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે કેટલાક કામ એવા છે જેને ન કરવા જોઈએ નહી તો અશુભ પરિણામ મળી શકે છે.. તો આવો જાણીએ કયા કામ ન કરવા જોઈએ. 

મૌની અમાસના દિવસે શું કરવું.
* શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન નારાયણને માઘ મહિનામાં પૂજા-પ્રાર્થના કરીને અને આ દિવસોમાં નદીમાં સ્નાન કરવાથી સ્વર્ગનો માર્ગ મળે છે.
* મૌની અમાસના દિવસે મૌન અને સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
* માગ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વિશેષ શક્તિ મળે છે.
* આ દિવસે સૂર્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કરવાથી ગરીબી અને ગરીબી દૂર થાય છે.
* નવી ચંદ્રના દિવસે તુલસી પરિક્રમા 108 વાર કરવી જોઈએ.

મૌની અમાસના દિવસે ન કરશો આ 5 કામ

1. જ્યોતિષ મુજબ મૌની અમાવસ્યાના દિવસે સવારે મોડા સુધી ન સુવુ જોઈએ.  જલ્દી ઉઠીને પૂજા પાઠ કરવો જોઈએ. અમાસની રાત્રે સ્મશાન ઘાટ કે તેની આસપાસ ન ફરવુ જોઈએ. આ દિવસે સવારે જલ્દી ઉઠીને મૌન રહેતા પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવુ શુભ માનવામાં આવે છે. 
 
2.આ દિવસે સ્ત્રી અને પુરૂષે શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ. મૌની અમાવસ્યા પર યૌન સંબંધ બનાવવાથી જન્મ લેનારી સંતાનને જીવનમાં અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડી શકે છે.  તેથી આ વસ્તુઓથી જેટલુ બને એટલુ બચવુ જોઈએ. 
 
3.  મૌની અમાસનો દિવસ દેવતા અને પિતરોનો દિવસ માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતરોને ખુશ કરવા માટે જ્યા સુધી બની શકે તમારા ગુસ્સા પર કાબુ રાખો. કોઈની સાથે કારણ વગર કોઈની સાથે ગાળ ગલોચ કે મારપીટ ન કરો શાંત રહીને ભગવાનનુ નામ લો. 
 
4. આ દિવસે ગરીબ કે જરૂરી લોકોને દાન કરવુ અને તેમની મદદ કરવી શુભ હોય છે.  તેથી કોઈપણ એવો માણસ દેખાય તો તેનુ અપમાન ન કરો. સાથે જ ઘરના મોટા વડીલોનુ અપમાન પણ ન કરો. આવુ કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે.  
 
5. એવુ કહેવાય છે કે આ દિવસે વડ, મહેંદી અને પીપળાના ઝાડ નીચે જવાથી બચવુ જોઈએ. માન્યતા છે કે આ દિવસે ઝાડ પર આત્માઓનો વાસ રહે છે અને અમાસના દિવસે તે વધુ શક્તિશાળી થઈ જાય છે. તેથી આ દિવસે આવા ઝાડ નીચે ન જાવ. 
 

વધુ જુઓ..

Raksha Bandhan Tips- આ રક્ષાબંધન આટલું કરો, તમારા ભાઈ-બહેનનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બનશે

રક્ષાબંધન સ્પેશિયલ: પરંપરાગત મીઠાઈને આપો મોર્ડન ટચ! ભાઈ માટે બનાવો આ ટ્રેન્ડી સ્વીટ ડિશ

રક્ષાબંધન પર ભાઈને ખવડાવો કાજુ રોલ, ઘરે સરળતાથી બનાવવાની રીત

ભૂખ લાગતા પેટમાં કેમ આવે છે ગુડગુડનો અવાજ, ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટએ બતાવ્યુ આ કારણ

રક્ષાબંધન પર ઘરે બનાવો માવા વગરની હેલ્ધી મીઠાઈ, સ્વાદમાં પણ લાજવાબ

વધુ જુઓ..

સપ્ટેમ્બર મહિનાના તહેવારો

Raksha Bandhan Tips- આ રક્ષાબંધન આટલું કરો, તમારા ભાઈ-બહેનનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બનશે

Raksha bandhan katha: રક્ષાબંધન પૌરાણિક કથા

રક્ષાબંધન સ્પેશિયલ: પરંપરાગત મીઠાઈને આપો મોર્ડન ટચ! ભાઈ માટે બનાવો આ ટ્રેન્ડી સ્વીટ ડિશ

રક્ષાબંધનના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર ?

આગળનો લેખ