Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારના દિવસે આ 4 વસ્તુઓનું દર્શન કરવું અત્યંત શુભ છે, શનિદેવની વરસે છે અઢળક કૃપા

Updated: શનિવાર, 6 જાન્યુઆરી 2024 (11:01 IST)
Seeing these 4 things on Saturday is very auspicious
ન્યાયના દેવતા ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા લોકો વિવિધ ઉપાયો અને પૂજા કરે છે. એવું કહેવાય છે કે જો શનિદેવની કૃપા કોઈ પર પડે છે તો તે વ્યક્તિને સફળ અને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. બીજી તરફ જો શનિ મહારાજની કોઈ પર ખરાબ નજર હોય તો સમજી લેવું કે તે વ્યક્તિ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરતી રહેશે. શનિદેવ જેને ધર્મરાજ કહેવામાં આવે છે તે દરેક વ્યક્તિના સારા-ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાના કાર્યો સારા રાખવા જોઈએ, તો જ તેના પર શનિદેવની કૃપા વરસી શકે છે.
 
 
અઠવાડિયાનો દરેક દિવસ વિવિધ દેવી-દેવતાઓને સમર્પિત છે. શનિવારે ભગવાન શનિદેવની પૂજા કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં, જો તમે શનિવારે આ 4 વસ્તુઓ જોઈ હોય, તો સમજી લો કે શનિદેવની કૃપા તમારા પર જલ્દી વરસવા જઈ રહી છે. શનિવારે આ વસ્તુઓને જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
1. કાગડો શનિદેવના અનેક વાહનોમાંથી એક છે. આવી સ્થિતિમાં જો તમને શનિવારે કાળો કાગડો દેખાય તો સમજવું કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. કાગડો દેખાવવાનો અર્થ એ છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે અને તમને જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે.
 
2. જો તમે શનિવારે કોઈ ભિખારીને જોયો હોય અથવા કોઈ ભિખારીએ તમારી પાસેથી કંઈક માંગ્યું હોય, તો તેને કઈક જરૂર આપો. આમ કરવાથી ભગવાન શનિદેવ તમારા પર પ્રસન્ન થઈ શકે છે અને તમારી બધી મનોકામનાઓ પૂરી કરી શકે છે.
 
3. શનિવારે કાળો કૂતરો દેખાવવો એ શુભ સંકેત છે. જો તમે પણ કાળો કૂતરો જોયો હોય તો તેને તેલવાળી રોટલી ચોક્કસ ખવડાવો. તેનાથી ન માત્ર કેતુ દોષમાંથી મુક્તિ મળે છે પરંતુ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
 
4. શનિવારે કાળી ગાય દેખાવવાનો અર્થ છે કે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે. શનિવારે કાળી ગાયનું દર્શન શુભ સંકેત છે.

વધુ જુઓ..

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

Ganesh Chaturthi 2026: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી

Vrat Special Recipe- ઉપવાસના નાળિયેર અને ડ્રાયફ્રૂટ લાડુ

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

આ લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે ચિયા સીડ્સ, જાણી લો અને થઈ જાવ સાવધાન

વધુ જુઓ..

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

હર હર મહાદેવ ની આરતી

આગળનો લેખ
Show comments