Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Updated: મંગળવાર, 13 મે 2025 (12:57 IST)
Budhwa Mangal 2025 Significance: જેઠ મહિનામાં આવનારા મંગળવારને મોટો મંગળ કે બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે.  આ દિવસે હનુમાનજીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.  જેઠ મહિનાના મંગળવારના દિવસે બજરંગબલીની આરાધના કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે.  ઉલ્લેખનીય છે કે જેઠ મહિનાના મંગળવારના દિવસે હનુમાનજીના વૃદ્ધ રૂપની પૂજા કરવામાં આવે છે.  તેથી આ મહિનામાં પડનારા મંગળવારને બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે.  તો આવો હવે અમે તમને બતાવીશુ કે બુઢવા મંગળ સાથે જોડાયેલ પૌરાણિક કથા શુ છે.  
 
જ્યેષ્ઠ મંગળવારને બુઢવા મંગલ કેમ કહેવામાં આવે છે?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહાભારત કાળ દરમિયાન, કુંતીના પુત્ર ભીમને પોતાની શક્તિ અને તાકત પર ગર્વ થયો. આવી સ્થિતિમાં, ભીમને પાઠ ભણાવવા માટે, બજરંગબલીએ એકવાર વૃદ્ધ વાંદરાના રૂપમાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ, એક વૃદ્ધ વાંદરાના રૂપમાં, ભીમને હરાવ્યો, જેના પછી ભીમે પોતાની શક્તિ પરનુ અભિમાન દૂર થઈ ગયુ.   એવું કહેવાય છે કે એ  જેઠ મહિનાનો મંગળવાર હતો જ્યારે રામ ભક્ત હનુમાન એક વૃદ્ધ વાંદરાના રૂપમાં આવ્યા હતા. ત્યારથી, જ્યેષ્ઠ મહિનાના દરેક મંગળવારને બુઢવા મંગળ તરીકે ઓળખવામાં આવે છે.
 
બુઢવા મંગલનું મહત્વ
બુઢવા મંગળના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી બુદ્ધિ, જ્ઞાન અને શક્તિમાં વધારો થાય છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિને દરેક ભયમાંથી મુક્તિ મળે છે અને ઘર અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે. બુઢવા મંગળના દિવસે, બજરંગબલીની સાથે ભગવાન શ્રી રામની પૂજા કરો, તો જ તમને પૂજાનો સંપૂર્ણ લાભ મળશે.
 

વધુ જુઓ..

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

Happy Friendship Day 2026: દોસ્તી પણ શુ ગજબની વસ્તુ હોય છે.. આ 10 ખાસ મેસેજથી પોતાના મિત્રોને કરો ફ્રેંડશિપ ડે વિશે

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા

શું કોઈને ગાળો આપવાથી તમને જેલ થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો.

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments