Webdunia - Bharat's app for daily news and videos

Install App

Indira Ekadashi 2020 Date & Time: જાણો ક્યારે છે ઈન્દિરા એકાદશી, જાણો આ પુજાનુ શુભ મુહુર્ત

સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (17:45 IST)
(Indira Ekadashi 2020 Date): પિતૃપક્ષમાં પડનારી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે ઇન્દિરા એકાદશી 13 સપ્ટેમ્બર એટલે કે રવિવારે પડી રહી છે. ઇન્દિરા એકાદશીને શ્રાદ્ધ એકાદશી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ નિયમ સાથે ઇન્દિરા એકાદશીના વ્રતનું પાલન કરવાથી પિતરોને શાંતિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો કોઈ  પાપી કૃત્યને કારણે પિતૃ  નરકની યાતનાથી પીડિત છે, તો આ વ્રતની અસરથી વ્યક્તિને મુક્તિ મળે છે.
 
ભગવાન વિષ્ણુ અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. ખાસ  વાત એ છે કે આ વ્રત પછીના દિવસે સૂર્યોદય પછી એટલે કે દ્વાદશીના દિવસે ખોલવામાં આવે છે. જો દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલા સમાપ્ત થાય છે, તો એકાદશી વ્રતનુ પારણ માત્ર સૂર્યોદય પછી જ થાય છે.
 
ભગવાન વિષ્ણુને સમર્પિત ઇંદિરા એકાદશી
 
ભગવાન વિષ્ણુને સમર્પિત ઈંદિરા એકાદશીનું વ્રત કરવાથી તેના પૂર્વજોને ફળ મળે છે. ઈંદિરા એકાદશીને અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. ઈંદિરા એકાદશીનું વ્રત બીજા દિવસે એટલે કે દ્વાદશી ખોલવામાં આવે છે. સૂર્યોદય પછી એકાદશી વ્રત ખોલવામાં આવે છે. 
 
ઇન્દિરા એકાદશી પૂજા વિધી
વહેલી સવારે ઉઠીને સ્નાન વગરે નિત્ય કાર્યોથી પરવારીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો, ત્યારબાદ પિતરોનુ  શ્રાદ્ધ કરો. ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. બ્રાહ્મણને ભોજન અર્પણ કરો, દાન વગેરે  આપો, ઇંદિરા એકાદશીની કથા સાંભળો અથવા વાંચો, દ્વાદશીના શુભ દિવસે એકાદશી વ્રતનું પારણ કરો. 
 
ઈન્દિરા એકાદશી માટે શુભ મુહુર્ત  :
 
આ વખતે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 04:13 વાગ્યે એકાદશી પ્રારંભ થશે.
 14 સપ્ટેમ્બરના રોજ સવારે 03: 16 વાગ્યે સમાપ્ત થશે
એકાદશીનો પારણા કરવાનો સમય તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:59 થી 03: 27 સુધી રહેશે
 

વધુ જુઓ..

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

વધુ જુઓ..

Khodiyar Maa- ખોડિયાર માતાજીની પ્રાગટ્ય કથા

સંત શ્રી ડાયારામ બાપા

Baglamukhi Jayanti Upay: શુક્રવારે બગલામુખી જયંતીનાં દિવસે કરો આ સહેલા ઉપાય, દરેક સમસ્યાથી મળશે મુક્તિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

આગળનો લેખ
Show comments