Webdunia - Bharat's app for daily news and videos

Install App

Types of Havan Kund : શુ તમે જાણો છો કયા કુંડમાં યજ્ઞ કે હવન કરવાથી કયુ ફળ મળે છે ?

Updated: બુધવાર, 13 ઑક્ટોબર 2021 (07:57 IST)
કોઈપણ સાધનાને સફળ બનાવવા માટે આપણી ત્યા યજ્ઞ કરવાનુ વિધાન છે. યજ્ઞ વિધિપૂર્વક સંપન્ન કરવા માટે યજ્ઞ કુંડોનુ વિશેષ મહત્વ હો છે. મૂળ રૂપથી યજ્ઞ કુંડ આઠ પ્રકારના હોય છે, જેનો પ્રયોગ વિશેષ પ્રયોજન માટે જ કરવામાં આવે છે. દરેક યજ્ઞ કુંડનુ પોતાનુ એક જુદુ મહત્વ હોય છે. અને આ યજ્ઞ કુંડના મુજબ વ્યક્તિને એ યજ્ઞનુ પુણ્ય ફળ મળે છે. આવો જીવન સાથે જોડાયેલા તમામ દોષને દૂર કરવા અને ધન વૈભવ, શત્રુ, સંહાર, વિશ્વ શાંતિ વગેરેની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે જુદા જુદા કુંડોનુ મહત્વ જાણીએ. 
 
યોનિ કુંડ 
યજ્ઞ માટે વપરાતો આ કુંડ યોનિના આકારનો હોય છે. આ કુંડને કેટલાક પાનના આકારમાં બનાવવામાં આવે  છે. આ યજ્ઞ કુંડનો એક છેડો અર્ધચંદ્રાકાર આકારનો છે અને બીજો ત્રિકોણાકાર હોય છે. આ પ્રકારના કુંડનો ઉપયોગ ખાસ કરીને સુંદર, સ્વસ્થ, તેજસ્વી અને બહાદુર પુત્રની પ્રાપ્તિ માટે ખાસ કરીને કરવામાં આવે છે. 
 
અર્ધચંદ્રાકાર  કુંડ
આ  કુંડનો આકાર અર્ધચંદ્રાકારના રૂપમાં છે. આ યજ્ઞ કુંડનો ઉપયોગ પારિવારિક જીવનને લગતી તમામ પ્રકારની સમસ્યાઓના ઉકેલ માટે થાય છે. આ યજ્ઞ કુંડમાં હવન કરવાથી સાધકને સુખી જીવનનું પુણ્યફળ મળે છે.
 
ત્રિકોણ કુંડ
આ યજ્ઞ કુંડ ત્રિકોણના આકારમાં બનાવવામાં આવે છે. આ યજ્ઞકુંડનો ખાસ ઉપયોગ દુશ્મનો પર જીત મેળવવા અને તેમને હરાવવા માટે થાય છે.
 
વૃત્ત કુંડ 
 
વૃત કુંડ ગોળ આકૃતિ માટે હોય છે. આ કુંડનો ખાસ ઉપયોગ લોક કલ્યાણ, દેશમાં સુખ અને શાંતિ જાળવવા વગેરે માટે થાય છે. આ પ્રકારના યજ્ઞ કુંડનો ઉપયોગ પ્રાચીન સમયમાં મહાન ઋષિ-મુનિઓ દ્વારા કરતા હતા .
 
સમઅષ્ટાસ્ત્ર કુંડ 
આ પ્રકારના અષ્ટકાર કુંડનો ઉપયોગ રોગોનું નિદાન કરવા માટે થાય છે. સુખી, સ્વસ્થ, સુંદર અને સ્વસ્થ રહેવા માટે આ યજ્ઞ કુંડમાં હવન કરવાનો નિયમ છે.
 
સમષડશસ્ત્ર કુંડ
 
આ કુંડમાં છ ખૂણા છે. આ પ્રકારના યજ્ઞ કુંડનો પ્રાચીન સમયમાં ઘણો ઉપયોગ થતો હતો. પ્રાચીન સમયમાં રાજા-મહારાજા આ પ્રકારના યજ્ઞ કુંડનો ઉપયોગ દુશ્મનોમાં દુશ્મનાવટની લાગણી જાગૃત કરવા  માટે કરતા હતા.
 
ચતુષ્કોણાસ્ત્ર કુંડ 
આ યજ્ઞકુંડનો ખાસ ઉપયોગ સાધક પોતાના જીવનમાં સુસંગતતા લાવવા માટે કરે છે. આ યજ્ઞકુંડમાં યજ્ઞ કરવાથી વ્યક્તિની ભૌતિક અને આધ્યાત્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
 
અતિ પદમ કુંડ
કમળના ફુલના આકાર માટે આ યજ્ઞ કુંડ અઢાર ભાગોમાં વિભક્ત દેખાવવાને કારણે ખૂબ જ સુંદર દેખાય છે. તેનો ઉપયોગ તીક્ષ્ણ પ્રયોગ અને હત્યા પ્રયોગોથી બચવા માટે કરવામાં આવે છે. 
 

વધુ જુઓ..

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ