Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vahan Durghatna Nashak Yantra: વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે? અકસ્માતથી બચવા માટે તમારી ગાડીમાં તે ક્યારે અને કેવી રીતે મુકવું?

Updated: મંગળવાર, 11 નવેમ્બર 2025 (06:54 IST)
Vahan Durghatna Nashak Yantra: જ્યોતિષ અને વાસ્તુના નિષ્ણાતોના મતે, વાહન સુરક્ષા યંત્ર એક એવી ચાવી છે જે તમને અને તમારા પરિવારને અકસ્માતોથી બચાવી શકે છે. આ યંત્રને  દુર્ઘટના નાશક યંત્ર અને મારુતિ યંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે પણ ગાડીમાં આ યંત્ર મુકવામાં આવે છે, ભગવાન હનુમાન પોતે તે વાહનનું રક્ષણ કરે છે  ચાલો હવે જાણીએ કે તમારે આ યંત્ર ક્યારે અને કેવી રીતે તમારા વાહનમાં મૂકવું જોઈએ.
 
વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે ? 
વાહન દુર્ઘટના નાશક યંત્ર એક ભૌમિતિક આકાર છે જેમાં ભગવાન હનુમાનજીની સકારાત્મક ઉર્જાનો વાસ હોવાનું માનવામાં આવે છે. યંત્ર જુદા જુદા પ્રકારના હોય છે, દરેક યંત્રની પોતાની અલગ ઉર્જા અને કાર્ય હોય છે. તેવી જ રીતે, વાહન દુર્ઘટના નાશક યંત્ર, અથવા મારુતિ યંત્ર, વાહન દુર્ઘટના સામે રક્ષણ આપે છે. વાહન અકસ્માત નાશક યંત્ર બ્રહ્માંડિક ઉર્જાઓને નિયંત્રિત કરે છે અને રક્ષણ પૂરું પાડે છે. તેથી, આ યંત્રને વાહનમાં મુકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
વાહન દુર્ઘટના નાશક યંત્રને ક્યારે તમારા વાહનમાં મુકવું જોઈએ ?
વાહન દુર્ઘટના નાશક યંત્રને તમે ગમે ત્યારે તમારા વાહનમાં મૂકી શકો છો. તમે તેને તમારી કાર, બસ અથવા તમારા બાઇક કે સ્કૂટર પર પણ લટકાવી શકો છો.
 
વાહન દુર્ઘટના નાશક યંત્ર કેવી રીતે લગાવવું જોઈએ  ? 
વાહન દુર્ઘટના નાશક યંત્રને તમે તમારી ગાડીમાં મંગળવાર, શનિવાર અથવા રવિવારે મૂકી શકો છો. તેને વાહનમાં મૂકતા પહેલા, તેને કાચા દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરો. ત્યારબાદ "ૐ નમો ભગવતે અંજનેય. મહાબલાય સ્વાહા" અથવા "ૐ અંતે રક્ષાય નમઃ" મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. ત્યારબાદ, યંત્રને તમારા પૂજા સ્થાન પર થોડીવાર માટે મૂકો. આ યંત્રને તમારી ગાડીમાં મુકતા પહેલા વાહનને સાફ જરૂર કરી લો. 
 
વાહન દુર્ઘટના નાશક યંત્રનો શું લાભ છે ? 
વાહન દુર્ઘટના નાશક યંત્રને કારમાં મુકવાથી તમે અકસ્માતોથી બચી શકો છો. આ સાથે, કારમાં પોઝીટીવ એનર્જી  પણ રહે છે. જો તમે શનિ, મંગળ અથવા રાહુની મહાદશામાંથી પસાર થઈ રહ્યા છો, તો અકસ્માતોનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં, કારમાં મારુતિ યંત્ર સ્થાપિત કરવું શુભ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, વાહન સુરક્ષા યંત્રને કારમાં મુકવાથી, કાર હંમેશા તમારો સાથ આપે  છે, એટલે કે, તે ખોટા સમયે ખરાબ થતી નથી, તમારે કાર પર બિનજરૂરી ખર્ચ કરવાની જરૂર નથી પડતી. તમે આ યંત્ર ઓનલાઈન મેળવી શકો છો અથવા તમે તેનું પ્રિન્ટઆઉટ લઈને પણ તેનો ઉપયોગ પણ કરી શકો છો.



(Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. વેબદુનિયા ગુજરાતી કોઈપણ માહિતીની સત્યતાનો પુરાવો આપતું નથી.)

વધુ જુઓ..

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

Happy Friendship Day 2026: દોસ્તી પણ શુ ગજબની વસ્તુ હોય છે.. આ 10 ખાસ મેસેજથી પોતાના મિત્રોને કરો ફ્રેંડશિપ ડે વિશે

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા

શું કોઈને ગાળો આપવાથી તમને જેલ થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો.

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

વધુ જુઓ..

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

આગળનો લેખ
Show comments