Webdunia - Bharat's app for daily news and videos

Install App

Top News : 'પાકિસ્તાનને સેમિફાઇનલમાં ન પહોંચવા દેવા ભારત આગામી મૅચ હારશે'

Updated: શુક્રવાર, 28 જૂન 2019 (11:20 IST)
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી બસીત અલીએ પાકિસ્તાનની ટીવી ચેનલ 'એઆરવાય' ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ભારત વર્લ્ડ કપની આગામી મૅચમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણીજોઈને હારશે.
અલીએ કહ્યું, "ભારત અત્યાર સુધી પાંચ મૅચ રમ્યું છે અને તે ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે."
અલીએ એવું પણ કહ્યું કે અફઘાનિસ્તાન સામે શ્રીલંકા અને બાંગ્લાદેશ કેવી રીતે રમ્યું તે બધાને ખબર છે.
જ્યારે બસીતને આ મુદ્દા પર વિગતવાર પ્રકાશ પાડવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ (ભારત) કેવી રીતે રમતની યોજના બનાવે છે તેની કોઈને જાણ નથી.
વધુમાં તેમણે કહ્યું, "પાકિસ્તાને માત્ર તેની ન્યૂઝીલૅન્ડ સાથેની આગામી મૅચમાં ધ્યાન આપવું જોઈએ."

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પત્નીની પરમિશન

ગુજરાતી જોક્સ- મેમસાહેબ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ -કોઈ ના ઘરે મહેમાન

ગુજરાતી જોક્સ - ટેંશન કોણ છે

આગળનો લેખ
Show comments