Webdunia - Bharat's app for daily news and videos

Install App

First Aid Day બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો

શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (10:12 IST)
બળી ગયાં  કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો 
બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો આગ હોલવવા માટે કોઈ ધાબળો, કે કોઈ મોટા કપડામાં લપેટવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે જેટલી જલ્દી આગ હોલવાઈ જશે તેટલું શરીરને નુકશાન ઓછું થશે. તો તેના માટેના પ્રાથમિક ઉપચાર અહીં આપવામાં આવ્યાં છે. 
* શરીર પર બનેલા છાલાને ફોડશો નહિ. બળેલી ચામડી અને ઘાને પણ ફોડશો નહિ. 
 
* શરીર પર પહેરેલા ઘરેણાં જેમકે બંગડી, વીંટી વગેરેને ઉતારી દો. 
 
* બળેલી વ્યક્તિના શરીર પરથી બળેલા કપડાંઓને દૂર કરી દો. 
 
* રોગીને પેટ્રોલીયમ જેલી, માખણ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ક્યારેય પણ ન લગાડશો કેમકે તે બળેલા ભાગને વધારે બાળે છે. 
 
* હોસ્પીટલ લઈ જતાં પહેલાં જો શક્ય હોય તો સાફ ટુવાલન પડની વચ્ચે બરફ મુકીને બળેલા ભાગ પર મુકી દો. અનાથી અડધાથી ત્રણ કલાકની અંદર બળતરા ઓછી થઈ જાય.
 
* જ્યારે પણ કોઈ કારણે ત્વચા બળી જાય તો તેના પર ઠંડુ પાણી નાખો જેથી છાલા ન પડી શકે. ત્યારબાદ તમે દાઝેલા સ્થાન પર ઠંડા પાણીના કપડો પલાડીને બાંધી દો. 
 
* પ્રાથમિક ઉપચાર માટે એલોવેરા પણ ખૂબ ઉપયોગી છે. સારા પરિણામ માટે ઘાને પાણી થી ધોયા પછી તેના પર એલોવેરા જેલ લગાવી શકો છો. 
 
* દાઝેલા સ્થાન પર બટાકાનો છાલટા લગાવીને રાખવાથી પણ બળતરા ઓછા થઈ જાય છે અને ઠંડક મળે છે. 
 
* દાઝેલા સ્થાન પર તરત હળદરનું પાણી લગાવાથી પણ દુખાવો ઓછું હોય છે અને આરામ પણ મળે છે. 
 
* મધ પણ એક સારું એંટીબાયોટિક છે. 
 
* દાઝી ગઈ જગ્યા પર ટી બેગ મૂકવાથી પણ ખૂબ રાહત મળે છે. તેના માટે ટી-બેગને ફ્રિજ કે ઠંડા પાણીમાં થોડી વાર મૂકી ઘા પર લગાવો. 
 
 

વધુ જુઓ..

ખાન સરની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ? જાણો કેમ હંમેશા વિવાદોમાં રહે છે આ ફેમસ શિક્ષક

ભાઈ અમે નહિ બચીએ.. એ અંતિમ ફોન કોલ, દિલ્હી માલવિય નગર આગમાં CA વિવેક અગ્રવાલના પરિવારનાં 8 લોકોનું મોત

ઇન્દોરમાં ઇલેક્ટ્રિક વાહનના શોરૂમમાં આગ લાગી, 20 લોકો અંદર ફસાયા, સદનસીબે કોઈ જાનહાનિ નથી

વરસાદ માટે તૈયાર રહો! અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી

TCS બાદ હવે વિપ્રોમાં વિવાદ: સાથી કર્મચારીએ ઇસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું હોવાનો આરોપ, કર્મચારીએ નોકરી છો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 જૂન 2026

શું શુક્રવારના ઉપવાસ ફક્ત મહિલાઓ જ કરી શકે છે ? જાણો કોણ કોણ કરી શકે છે આ ઉપવાસ અને શું છે નિયમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 જૂન 2026

આગળનો લેખ
Show comments