Webdunia - Bharat's app for daily news and videos

Install App

Careful Holi - અસ્થમાના દર્દીઓએ હોળીના દિવસે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તહેવાર મોંઘો પડશે

મંગળવાર, 7 માર્ચ 2023 (08:47 IST)
હિન્દુ ધર્મમાં હોળી ખૂબ જ મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. રંગો અને ગુલાલ વગર આ તહેવાર અધૂરો માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમથી રંગ લગાવે છે અને ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. પરંતુ અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આ તહેવાર ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. જો હોળીના દિવસે ગુલાલ કે રંગ તેમના  મોંઢામાં જાય તો તેમને અસ્થમા અટેક આવી શકે છે. આજે અમે અસ્થમાના દર્દીઓ માટે સાવધાની સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ટીપ્સ બતાવી રહ્યા છીએ.
 
કેમિકલયુકત રંગ અને ધૂળથી દૂર રહો
જે લોકો અસ્થમાથી પીડિત છે તેમણે મસ્તી, કેમિકલ રંગો અને ધૂળવાળી માટીની અસરોથી બચવું જોઈએ. જો તમને હોળી રમવાની બહુ ઈચ્છા હોય તો તમે પાણીથી હોળી રમી શકો છો. કારણ કે, રંગ અને ગુલાલથી હોળી રમવાથી અસ્થમાના અટેકનો ખતરો વધી જાય છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ રીતે બગડી શકે છે.
 
હંમેશા સાથે રાખો ઇન્હેલર 
અસ્થમાના દર્દીઓએ હોળીના દિવસે હંમેશા પોતાની સાથે ઇન્હેલર રાખવું જોઈએ. આ દિવસે, મોટી ભીડમાં હોળી ઉજવવાથી, તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, આવી સ્થિતિમાં, તમારી પાસે ઇન્હેલર હોવું આવશ્યક છે. આના ઉપયોગથી તમે તરત જ રાહત મેળવી શકો છો. જો તમારી પાસે ઇન્હેલર નથી, તો તેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
 
પીડિતને થઈ શકે છે પરેશાની  
જાણકારોના મતે, અસ્થમાના દર્દીઓએ કેમિકલ રંગોથી હોળી રમવાનું ટાળવું જોઈએ. એનું કારણ તે રંગોમાં હાજર એ કણ હોય છે, જે સીધા હવાના સંપર્કમાં રહે છે. જ્યારે તે કણો દર્દીઓના ફેફસામાં પ્રવેશ કરે છે, ત્યારે પીડિતને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

વધુ જુઓ..

MI vs RR - રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું, મુંબઈને 30 રનથી હરાવ્યું

કર્ણાટકમાં મોટો અકસ્માત: નદીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ભારતમાં 100 નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે, સરકારે ભાવ્ય યોજના માટે મુખ્ય માર્ગદર્શિકા જારી કરી

MI vs RR- રાજસ્થાન આજે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મુંબઈ સામે ટકરાશે.

તેલંગાણામાં ગરમીએ હાહાકાર મચાવ્યો... ગરમીના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત, સરકારે 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

શનિવાર નો મંત્ર

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.

આગળનો લેખ
Show comments