Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kidney Care - સ્વસ્થ કિડની માટે જરૂરી છે આ 7 ડાયેટ

Updated: બુધવાર, 19 જુલાઈ 2017 (10:28 IST)
કિડની સાથે સંકળાયેલા રોગોથી દૂર રહેવા માંગો છો તો તમારા ડાયેટમાં આ 7 વસ્તુઓનો સમાવેશ જરૂર કરો. 
 
લાલ શિમલા મરચાંમા પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામીન સી, ફાઈબર, ફોલિક એસિડ અને વિટામિન બી6 સારા પ્રમાણમાં છે જે કિડની માટે લાભકારી છે. 
 
અડધો કપ કોબીજમાં 6 મિલીગ્રામ સોડિયમ, 60 મિલી ગ્રામ પોટેશિયમ અને 9 મિલીગ્રામ ફોસ્ફોરસ છે જે કિડની માટે ફાયદાકારી છે. સાથે જ તેમા વિટામિન કે અને સી તેમજ ફાઈબર સારી માત્રામાં છે. 
 
અડધો કપ ફ્લાવરમાં 9 મિલીગ્રામ સોડિયમ, 88 મિલીગ્રામ પોટેશિયમ અને 20 મિલીગ્રામ ફોસ્ફરસ છે અને આ વિટામિન સી, ફોલેટ અને ફાઈબરનો સારો સ્ત્રોત છે. આ કિડની માટે ખૂબ ફાયદાકારી છે. 
 
એક કળી લસણમાં એક મિલીગ્રામ સોડિયમ, 12 મિલીગ્રામ પોટેશિયમ અને 4 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. આ ફ્ક્ત કિડની માટે જ ફાયદારી નથી હોતુ પણ કોલેસ્ટ્રોલ પણ ઓછુ કરે છે અને કેંસર સામે બચાવ કરે છે. 
 
અડધો કપ ડુંગળીમાં 3 મિલીગ્રામ સોડિયમ, 116 મિલીગ્રામ પોટેશિયમ અને 3 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. ડુંગળીમાં એંટીઓક્સીડેંટ્સ અને ક્રોમિયમ નામનુ તત્વ છે જે મેટાબોલિજ્મ ઠીક રાખે છે. જેનાથી કિડની સ્વસ્થ રહે છે. 
 
એક મધ્યમ આકારના સફરજનમાં 158 મિલીગ્રામ પોટેશિયમ અને 10 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. કિડની અને દિલના આરોગ્ય માટે આનુ સેવન ખૂબ ફાયદાકારી છે. 
 
અડધો કપ સ્ટ્રોબેરીમાં એક મિલીગ્રામ સોડિયમ, 120 મિલીગ્રામ પોટેશિટમ અને 13 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. તેમા ફાઈબર અને એંટીઓક્સીડેંટ સારા પ્રમાણમાં છે જે કિડની માટે ફાયદાકારી છે. 
 
ઈંડાનો સફેદ ભાગનુ સેવ કિડની માટે ફાયદાકારી છે. તેમા 2 ગ્રામ પ્રોટીન, 110 મિલીગ્રામ પોટેશિયમ અને 10 મિલીગ્રામ ફોસ્ફોરસ છે. તેનુ અમીનો એસિડ કિડની માટે ખૂબ જ લાભકારી છે.  

વધુ જુઓ..

વારાણસી એરપોર્ટ પર ગભરાટ: મુસાફરની પિસ્તોલમાંથી અચાનક ગોળીબાર, બે મુસાફરો ઘાયલ

બુલેટ ટ્રેન સ્ટેશન લગભગ તૈયાર છે, મુંબઈ અને સુરતના વીડિયો સામે આવ્યા છે. આંતરિક ડિઝાઇન જુઓ

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, અને બિહાર અને ઝારખંડમાં વાવાઝોડાની આગાહી છે

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડા પ્રવાસે રવાના, Vibrant Gujarat Global Summit 2027 માટે કરશે રોડ શો

7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી ઇન્ડોનેશિયા ફરી ધ્રુજી ઉઠ્યું; અત્યાર સુધીમાં ૩૮ લોકોના મોત

વધુ જુઓ..

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments