Webdunia - Bharat's app for daily news and videos

Install App

જોધપુરી મરચાંના ભજીયા

ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (14:34 IST)
ભજીયા ઘરે બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બાફેલા બટેટા, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી મરચાંનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
 
હવે બધાં લીલાં મરચાંને સારી રીતે ધોઈ લો અને એક બાજુથી કાપી લો અને જો વધુ બીયા હોય તો કાઢી લો.
 
ત્યાર બાદ એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ મૂકી ગરમ કરવા રાખો. આ પછી એક વાસણમાં એક કપ ચણાનો લોટ, એક ચમચી ગરમ મસાલો, એક ચોથો ચમચો ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, એક ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ખાવાનો સોડા અને અડધી ચમચી તેલ ઉમેરો. પછી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને ખીરુ તૈયાર કરો. ધ્યાન રાખો કે ખીરુ બહુ જાડું કે પાતળું પણ ન હોવું જોઈએ. મિકસ એવી રીતે રાખો કે મરચાં પર સરળતાથી એક સ્તર બની શકે. બેટરમાં થોડો મકાઈનો લોટ ઉમેરો જેથી વડા ક્રિસ્પી લાગે.
 
આ પછી બધા મરચામાં તૈયાર સ્ટફિંગ ભરો. સ્ટફ્ડ મરચાંને ગરમ તેલમાં એક પછી એક ચણાના લોટમાં બોળીને કડાઈમાં નાખો. મરચાં લાઈટ બ્રાઉન થઈ જાય એટલે બહાર કાઢી લો. હવે તમારે એક પછી એક બધા પકોડા તૈયાર કરવાના છે. પકોડાને તેલમાં તળતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બધાં મરચાંને વધુ સખત તળવા ન જોઈએ નહીંતર તેનો સ્વાદ કડવો થઈ શકે છે. પકોડાને મીડીયમ ફ્લેમ પર ફ્રાય કરો જ્યાં સુધી તે લાઈટ બ્રાઉન થાય.આ પછી મહેમાનોને લીલી કે લાલ ચટણી સાથે પકોડા સર્વ કરો.

Edited By- Monica sahu 
 

વધુ જુઓ..

શેરબજારમાં જોરદાર શરૂઆત! સેન્સેક્સ 480 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300 ને પાર; IT શેરોમાં ભારે ખરીદી જોવા મળી

રામ મંદિર ચોરીના કેસમાં બીજા રાઉન્ડમાં 10 લોકો SITના રડાર પર, અનિલ મિશ્રાની કરવામાં આવશે પૂછપરછ, ચંપત રાયની ફરી પૂછપરછ

ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: આગામી 5 દિવસ ભારે, 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર

Rathyatra History - જગન્નાથપુરી રથયાત્રા અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ, જાણો કોણે શરૂ કરી રથયાત્રા

Vegetarian City: ભારતનું એક અનોખું શહેર, જ્યાં ઈંડા વેચવા પર પણ તમને જેલ થઈ શકે છે! તેનું નામ જાણીને તમને નવાઈ લાગશે.

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments