Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળવાર્તા- પોપટની હનુમાન ભક્તિ

Updated: ગુરુવાર, 2 જાન્યુઆરી 2025 (11:37 IST)
ઈશ્વરની ભક્તિ અને પ્રાણી માત્રની સેવાનો ભાવ ભારતીય સભ્યતાના અંગ અંગમાં વસે છે. ભલે આપણે કેટલાય મોટા કેમ ન થઈ ગયા હોય પણ પરોપકાર અને જીવદયાનો ભાવ હંમેશા આપણા સંસ્કારોમાં 
સમાયેલો રહેશો. જો અમે તમને પૂછીએ કે શુ તમે કદી પક્ષીઓને ભોજન માટે ક્વિંટલો અનાજ વિખેરેલુ જોયુ છે? શુ તમે કદી તે અનાજ ચણતા હજારો પોપટો જોયા છે ? જો તમારો જવાબ ના હોય તો 'ધર્મયાત્રા' 
ની આ કડીમાં ચાલો અમારી સાથે ઈન્દોરના પંચકુઈયા હનુમાન મંદિરમાં.
 
હંમેશા ભીડથી ભરેલુ રહેતા ઈન્દોર શહેરમાં એક એવુ મંદિર છે, જ્યાં હજારો નહી, પરંતુ લાખોની સંખ્યામાં પોપટો આવે છે. 'પંચકૂઈયા હનુમાન મંદિર'ના નામથી પ્રખ્યાત આ મંદિરના ચોકમાં ભગવાન મહાદેવનુ મંદિર પણ છે. જ્યા દરરોજ શ્રધ્ધાળુઓની લાઈન લાગે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ફક્ત સ્ત્રી-પુરૂષ જ નહી પરંતુ ઈશ્વરભક્ત પોપટો પણ તમને ભક્તિથી તરભર થતા જોવા મળશે.
 
આ પોપટોની ઈશ્વરભક્તિ પણ જોવા લાયક છે. અનાજનો દાણો ચણતા પહેલા આ પોપટો હનુમાનજીની મૂર્તિ તરફ મોઢુ કરીને પ્રણામ કરે છે, પછી પશ્ચિમ દિશાની તરફ મોઢુ રાખીને પોતાનુ ભોજન કરે છે.
 
આ પોપટોની વધતી સંખ્યાને જોતા થોડા વર્ષો પહેલા પૂર્વ મંદિર પ્રશાસન અને ભક્તોની મદદથી અહીં 3,000 સ્કવેયર ફીટની એક મોટી અગાશી બનાવવામાં આવી છે, જ્યા આ પોપટો માટે અનાજ વિખેરવામાં 
 
આવે છે. દરરોજ અહી દાણા નાખનારા રમેશ અગ્રવાલના મુજબ દરરોજ સવારે 5.30 થી 6 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન આ પોપટો માટે અગાશી પર અનાજ નાખવામાં આવે છે. જેને તેઓ 1 
 
થી સવા કલાકમાં ખાઈ લે છે. તેમની સંખ્યા મુજબ અનાજનુ પ્રમાણ વધારવામાં કે ઘટાડવામાં આવે છે.
 
આને એક અજોડ સંજોગ જ કહીશુ કે જે રીતે ઈશ્વરન ભંડારામાંથી હજારોની સંખ્યામાં ભક્તો ભોજન ગ્રહણ કરે છે. તે જ રીતે પંચકુઈયાઁ હનુમાન મંદિરમાં પણ હજારોની સંખ્યામાં પોપટ ઈશ્વરને નમન કરતા 
 
કેટલીય પંગતોમાં પોતાનુ ભોજન ગ્રહણ કરે છે. તમને પોપટોની ઈશ્વરભક્તિવાળી આ વાર્તા કેવી લાગી તે અમને જરૂર જણાવશો.

વધુ જુઓ..

NEET પેપર લીક કેસમાં CBIની ચાર્જશીટથી મોટો ખુલાસો, પરીક્ષાના 3 દિવસ પહેલાં વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા હતા સવાલો

ખાણીપીણીના ભાવમાં તોતિંગ વધારો, ગુજરાતમાં શાકભાજી અને ફળોના વધતા ભાવથી સામાન્ય લોકો પર મોંઘવારીનો માર

રાહુલ ગાંધીએ તેમના કૂતરા નૂરીનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે કહ્યું કે જો તેમની માતા તેને જોશે તો તે નારાજ થશે, પણ તેઓ સંભાળી લેશે.

Amazon Great Freedom Sale 2026 શરૂ, ફ્લેગશિપ સ્માર્ટફોંસ પર બંપર ડિસ્કાઉંટ, ચેક કરો ઓફર

બોયફ્રેન્ડ સાથે મોજ-મસ્તી અને દારૂની પાર્ટીઓનો શોખ... પૈસા માટે ભત્રીજીએ પાર કરી હેવાનિયતની હદ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments