Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી બાળવાર્તા- મિઠ્ઠુરામનો અવાજ

Updated: મંગળવાર, 5 નવેમ્બર 2019 (13:49 IST)
એક પોપટ હતો. તેનું નામ હતુ મિઠ્ઠુરામ. તેનું ઘર હતુ એક પિંજરુ, તે જ તેની દુનિયા હતી. મિઠ્ઠુરામનો અવાજ ખૂબ સારો હતો પણ તે ફક્ત રાત્રે જ ગાતો હતો. એક રાત્રે જ્યારે મીઠ્ઠુરામ ગીત ગાઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી એક ચામાચિડિયુ નીકળ્યુ. ચામાચિડિયાએ જોયુ કે મીઠ્ઠુરામનો અવાજ તો બહુ જ મીઠો છે. ચામાચિડિયાએ મીઠ્ઠુરામને પૂછ્યુ ' કેમ ભાઈ, તારો અવાજ આટલો મીઠો છે, છતાં તુ રાત્રે જ કેમ ગાય છે ? 


મીઠ્ઠુરામે તેનું કારણ  જણ ાવતા કહ્યુ કે - એક વાર જ્યારે હું જંગલમાં દિવસના સમયે ગાઈ રહ્યો હતો ત્યારે એક શિકારી ત્યાંથી નીકળ્યો. તેણે મારો અવાજ સાંભળ્યો અને તે કારણે જ મને કેદ કરી લીધો. ત્યારથી આજ સુધી હું આ પિંજરામાં કેદ છુ. આ બતાવતા મીઠ્ઠુરામ બોલ્યો કે ત્યારપછી મેં આ શીખી લીધુ છે કે દિવસમાં ગાવુ એ મુસીબતનું કારણ બની શકે છે તેથી હવે હું રાત્રે જ ગાઉં છુ. ચામાચિડિયાએ કહ્યુ કે - 'દોસ્ત આ તો તે કેદ થતાં પહેલા વિચારવું જોઈતુ હતુ.


સાચી વાત છે આપણે ઘણીવાર ભૂલો કર્યા પછી જ કશુક શીખીએ છીએ. પણ એ જરૂરી નથી કે દરેક સમયે શીખવા માટે ભૂલ જ કરવી પડે. કેટલીય વાર કોઈ કામને કરતા પહેલા જો આપણે થોડી સાવધાની રાખીએ તો ભૂલ કરવાથી બચી શકીએ છીએ અને નુકશાન પણ નથી થતુ. તેથી બાળકો હંમેશા યાદ રાખો કે બુધ્ધિમાન તે જ હોય છે જે હંમેશા સમજી વિચારીને કામ કરે છે. 

 

 

વધુ જુઓ..

કર્ણાટકમાં ચિકનની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ બાદ KFCના આઉટલેટ પર દરોડા પાડવામાં આવ્યા, વેરહાઉસ સીલ કરવામાં આવ્યું

5 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી, આજે 16 રાજ્યો માટે ચેતવણી. આ અઠવાડિયે હવામાન કેવું રહેશે તે જાણો

ચંબલ નદી પાર કરી રહેલા મુસાફરોને લઈ જતી એક સ્ટીમર જોરદાર પ્રવાહ વચ્ચે તૂટી પડી, જેના કારણે 100 થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા

'મિત્રો' મોરને ખવડાવતા અને ગાયોને ખવડાવતા; પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસનો ખાસ વીડિયો શેર કર્યો

અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું, "સ્વતંત્રતા દિવસે વંદે માતરમનું અપમાન થયું હતું; તેમણે જનતા પાસે માફી માંગવી જોઈએ."

વધુ જુઓ..

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments