Biodata Maker

દુનિયાનો અંત થવા જઈ રહ્યો છે, બે અઠવાડિયા પછી અહી થશે મોટી તબાહી, બાબા વેંગાની છે આ ભવિષ્યવાણી

બુધવાર, 25 જૂન 2025 (15:49 IST)
Baba Vanga Prediction બાબા વેંગા પોતાની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. વર્ષ 2025ને લઈને તેમણે અનેક ભવિષ્યવાણી કરી છે. જેમા આ વર્ષે થનારી ઘટનાઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે. ક્યારેક ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને તો ક્યારેક દુનિયાના અંતને લઈને ભવિષ્યવાણીઓ કરી છે. દુનિયાના અંતને લઈને તો સાચે જ તમામ વાતો કરવામાં આવી રહી છે.  કારણ કે છેલ્લા બે-ત્રણ મહિનામાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં આવી ઘટનાઓ બની છે, જે આ તરફ ઈશારો કરે છે. ક્યારેક બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય છે તો ક્યારેક વિમાન દુર્ઘટના થાય છે. હવે આ વાતાવરણ વચ્ચે, જાપાની બાબા વેંગા રિયો તાત્સુકીની આગાહી હેડલાઇન્સમાં છે. તેમણે કહ્યું છે કે બે અઠવાડિયામાં દુનિયામાં કંઈક મોટું થવાનું છે.
 
શું બે અઠવાડિયા પછી વિનાશ નિશ્ચિત છે?
 
જાપાની બાબા વેંગાએ આગાહી કરી છે કે 5 જુલાઈએ કોઈ મોટી દુર્ઘટના કે કુદરતી આફત આવી શકે છે. લોકો આ આગાહીને લઈને પણ ડરી ગયા છે, અને તેની એટલી અસર થઈ છે કે જૂનના અંતથી જુલાઈની શરૂઆત સુધી, હોંગકોંગથી જાપાન જતી ફ્લાઇટ્સના બુકિંગમાં મોટો ઘટાડો થયો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ બુકિંગમાં લગભગ 83%નો ઘટાડો થયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ આગાહીએ લોકોની ચિંતા વધારી છે. 1999 ની મંગા ધ ફ્યુચર આઈ સો માં, રિયો તાત્સુકીએ પણ કોવિડ-19 રોગચાળા વિશે આગાહી કરી હતી.
 
વિનાશ ક્યાંથી આવી શકે છે
રિયોએ આ દરમિયાન એ પણ આગાહી કરી કે 5 જુલાઈએ જાપાનમાં મોટી આપત્તિ આવી શકે છે. તેમની ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે જાપાનમાં મોટી આપત્તિ આવશે. આ ચેતવણીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જાપાનને ગંભીર સંકટમાંથી પસાર થવું પડી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે 5 જુલાઈએ ફિલિપાઇન્સ અને જાપાન વચ્ચે સમુદ્ર નીચે એક મોટી તિરાડ દેખાઈ શકે છે, જેના કારણે મોટા ભૂકંપ અને સુનામીની શક્યતા છે. આ ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે જે મોજા ઉછળશે તે 2011માં આવેલા સુનામી મોજા કરતાં વધુ ખતરનાક હશે.
 
કેટલા બુકિંગ થયા કેંસલ  
આ જ કારણ છે કે ભયને કારણે, હોંગકોંગ એરલાઇન્સે જુલાઈ અને ઓગસ્ટમાં દક્ષિણ જાપાનના શહેરો કાગોશિમા અને કુમામોટો માટે ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. આ જ કારણ છે કે આ રૂટ પર બુકિંગમાં ઘણો ઘટાડો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં, આ વખતે ફ્લાઇટ બુકિંગમાં 50 ટકાનો ઘટાડો થયો છે, ખાસ કરીને તે વિમાનોમાં જ્યાં બોઇંગ વિમાનો કાર્યરત છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકોમાં ભયનું વાતાવરણ છે.

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

આગળનો લેખ
Show comments