Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકડાઉનમાં મધુભાન રિસોર્ટએ પુરૂ પાડ્યું ઉદાહરણ, બજાવી ઉદાહરણરૂપ કામગીરી

સોમવાર, 6 એપ્રિલ 2020 (11:44 IST)
કોરોના વાઇરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે 21 દિવસ માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે મધુભાન રિસોર્ટ એન્ડ સ્પા દ્વારા કેટલીક વિશિષ્ટ અને ઉદાહરણરૂપ પહેલ કરવામાં આવી છે. રિસોર્ટમાં કામ કરતાં આસપાસના વિસ્તારના લોકો તથા ઘરથી દૂર રહીને કામ કરતાં કર્મચારીઓને મૂશ્કેલીના આ સમયમાં કોઇપણ પ્રકારની અવગડનો સામનો ન કરવો પડે તેની પૂરતી કાળજી રાખવામાં આવી છે. તેમના ભોજન અને નાણાકીય જરૂરિયાતો સંબંધિત તમામ વ્યવસ્થા પણ કરાઇ છે.
આ લોકડાઉનને અર્થસભર બનાવવા માટે રિસોર્ટના તમામ વિસ્તારોમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને વિરેક્સ 252નો નિયમિત છંટકાવ કરવામાં આવે છે, જેમાં કર્મચારીઓના વાહનો, ગોલ્ફ કાર્ટ્સ અને ઇ-રિક્ષા વગેરે પણ સામેલ છે. રિસોર્ટની તમામ કામગીરીમાં પર્સનલ હાઇજિન અને સેનિટેશન મહત્વપૂર્ણ હિસ્સો હોવા છતાં મહામારીના જોખમને ધ્યાનમાં રાખીને તમામ કામદારો માટે પર્સનલ હાઇજિન અને સેનિટેશન અંગે વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથના સંપર્કમાં આવતાં રિસોર્ટના સરફેસ, નોબ્સ અને હેન્ડલની નિયમિત અંતરાલે સફાઇ કરવામાં આવે છે તથા કોરોનાની સ્થિતિમાં આ કામગીરી વધુ તીવ્ર કરાઇ છે.
 
આ પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં મધુભાન રિસોર્ટ એન્ડ સ્પાના વાઇસ પ્રેસિડેન્ટ મનોહર એસ ગુરુંગે જણાવ્યું હતું કે, “કોઇપણ સંસ્થા માટે તેમના કર્મચારીઓ સૌથી મહત્વપૂર્ણ હોય છે અને મધુભાન  રિસોર્ટ હંમેશાથી પીપલ ફર્સ્ટનો અભિગમ ધરાવે છે. આ લોકડાઉનની સ્થિતિમાં અમે અમારા કર્મચારીઓની પૂરતી કાળજી લઇ રહ્યાં છીએ, જેથી તેમને કોઇપણ સમસ્યા ન થાય અને તેઓ સુરક્ષિત રહે. ઘરથી દૂર રહીને કામ કરતાં અમારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને તમામ સહયોગ કરવા માટે અમે કટીબદ્ધ છીએ.”
“ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ માર્ગદર્શિકાઓનું અમે સખ્તાઇથી પાલન કરી રહ્યાં છીએ અને લોકડાઉનને કારણે રિસોર્ટમાં અટવાઇ ગયેલાં મહેમાનોને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ,” તેમ તેમણે ઉમેર્યું હતું. “આ ઉપરાંત અમે શ્રી સાંઇ બાબા જનસેવા ટ્રસ્ટ-આણંદ, જય જલારામ અન્નપૂર્ણા માનવ સેવા સમીતી-મોગરી અને રેલવે પોલીસ ફોર્સ-આણંદ રેલવે સ્ટેશન તથા અન્ય સ્થાનિક એનજીઓ સાથે જોડાણ કરીને રિસોર્ટની આસપાસ તેમજ આણંદના જરૂરિયાતમંદ નાગરિકોને ભોજન પ્રદાન કરી રહ્યાં છીએ. અમે અત્યાર સુધીમાં 1000 જેટલાં લોકોને ભોજન ઉપલબ્ધ કરાવ્યું છે અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ કામગીરી જાળવી રાખીશું.”

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

કૂતરા પાળી લો .. અભિનેત્રીએ લગ્ન અને બાળકોના પ્રેશર પર યુવતીઓને આપી વિચિત્ર સલાહ, પોતે છે બે પુત્રોની મા

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

Gujarati jokes husband wife- હંસવાનો ચાલુ રાખો બેસ્ટ જોક્સ

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

આગળનો લેખ
Show comments