ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને માત્ર 14 કલાકમાં જ અનેક વિસ્તારોમાં 400 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલી, અમદાવાદના ધોળકા અને સુરતના ઉમરપાડા જેવા વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ, ખેતરો અને ઘરો પાણીમાં ગરકાવ થઈ જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.