Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભે પોતાની બીમારીનો ઉલ્લેખ કર્યો

મંગળવાર, 24 નવેમ્બર 2015 (13:15 IST)
બોલીવુડના સૌથી કૂલ અને ફિટ એક્ટર કહેવાતા અમિતાભ બચ્ચને હરિયાણાન ટ્યૂબરક્લોસિસ સમારંભ દરમિયાન પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યુ કે તેમને હેપેટાઈટ્સ બી નામની બીમારી છે અને તે છેલ્લા 20 વર્ષોથી આ બીમારીનો સામનો કરી રહ્યા છે. 
 
તેમણે જણાવ્યુ કે વર્ષ 1982માં આવેલ તેમની ફિલ્મ 'કુલી' ના શૂટિંગ દરમિયાન થયેલ દુર્ઘટના પછી તેમને 200 લોકોએ લોહી આપ્યુ હતુ અને લગભગ 60 બોટલ લોહી ચઢાવ્યુ હતુ. જેમાથી કેટલોક ભાગ હેપેટાઈટસ બી થી સંક્રમિત હતો. અને આ જ કારણે તેના લીવરનો ચોથો ભાગ જ કામ કરી રહ્યો છે અને 75 ટકા આ રોગથી સંક્રમિત થઈ ચુક્યો છે. 
 
ત્યારબાદ બિગ બીએ કહ્યુ કે તે હવે બિલકુલ ઠીક છે અને રોજનુ કામ સહેલાઈથી કરી લે છે. તેમણે બધા લોકોને નિવેદન કર્યુ કે તે પોતાના બાળકોને હેપેટાઈટસ બી નો ટીકો જરૂર લગાવે જેથી આ બીમારીને જડથી ખતમ કરી શકાય. 
 
અમિતાભે જણાવ્યુ કે તેમણે જ્યારે પણ સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ પરેશાની થાય છે તો તે ફક્ત ભારતના જ ડોક્ટર્સ પર વિશ્વાસ કરે છે. તેમને અમેરિકાના ડોક્ટર્સ પાસે પણ પોતાની સારવાર કરાવી હતી પણ એ બિલકુલ એવી જ હતી જેવી ભારતમાં કરવામાં આવે છે. 
 
અમિતાભ 23 નવેમ્બરના રોજ હેપેટાઈટ્સ બી ની વૈક્સિંગને લઈને હરિયાણામાં થયેલ જાગૃતતા કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઈવેંટમાં અમિતાભ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને અનેક વરિષ્ઠ ડોક્ટર્સ પણ સામેલ થયા હતા.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગવાર નું શાક

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Heart Touching Birthday Wishes- જન્મદિવસ ની હાર્દિક શુભકામના

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

Show comments