Webdunia - Bharat's app for daily news and videos

Install App

"મહાભારત"ના કર્ણનુ નિધન, 68 વર્ષની વયે કેન્સરની બીમારીએ લીધો જીવ

બુધવાર, 15 ઑક્ટોબર 2025 (13:54 IST)
ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી "મહાભારત" માં કર્ણની યાદગાર ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતો બનેલો અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમના સહ-કલાકાર અને "મહાભારત" માં અર્જુન તરીકે કામ કરતા ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. પંકજના અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. અભિનેતાનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું અને તે આ જંગ જીતી ગયા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં કેન્સરે પાછો ઊથલો માર્યો હતો. એક્ટરની હાલત ખૂબ જ નાજુક હતી. આ બીમારીને કારણે એક ક્રિટિકલ સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શક્યા નહીં.
 
તેમનું ક્યારે થયું અવસાન  ?
પંકજ ધીરનું અવસાન બુધવાર, 15  ઓક્ટોબરના રોજ સવારે 11:30  વાગ્યે થયું. અભિનેતા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. આ લાંબી લડાઈ દરમિયાન તેઓ આ જંગ હારી ગયા. આ સમાચારે સમગ્ર ઉદ્યોગ અને તેમના ચાહકોને શોકમાં ડૂબાડી દીધા છે. તેમના પુત્ર નિકિતન ધીર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ સમાચાર તેમના પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પંકજને કેન્સર હતું. જોકે, થોડા મહિના પહેલા તે ફરી ઉભરી આવ્યું હતું અને તેમની તબિયત ઘણી બગડી હતી. તેમની મોટી સર્જરી પણ કરાવવી પડી હતી.
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

આગળનો લેખ
Show comments