Dharma Sangrah

આંદોલનો ઠંડા પાડવા માટે ગુજરાત સરકાર બજેટમાં યુવા અને રોજગારી પર ફોકસ કરશે

મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:45 IST)
રાજયમાં વિવિધ સામાજિક સંગઠનો યુવા બેરોજગારી અને સરકારી નોકરીને મુદ્દો બનાવીને આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર તેના પહેલા બજેટમાં મોટાપાયે રોજગારી અને ભરતી પર ફોકસ કરવામાં આવશે. 2017નું વર્ષ વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્વનું બનવાનું છે ત્યારે 2017-18ના બજેટમાં સરકાર દ્વારા ત્રિપાંખિયો વ્યૂહ અજમાવવામાં આવશે. નાણા વિભાગની ચાલી રહેલી બેઠકોમાં આગામી વર્ષે મહત્તમ નોકરીઓની તક ઊભી થાય તેવી સ્વરોજગારીની યોજનાઓ-નિયમિત ભરતી, લઘુ-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને વધુ રોજગારી ઊભી કરવી અને વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુ સાથે મેક ઇન ઇન્ડિયાને પણ સાંકળી લઇને ભરપૂર નોકરીઓ બહાર પડે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સાથે કેટલાક વિભાગમાં ચોક્કસ સંખ્યામાં ભરતી થાય તે માટેના ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવશે.

ભાજપ સરકારનું આગામી બજેટ ચૂંટણીલક્ષી હશે તેથી તમામ વર્ગને રિઝવવાનો પ્રયાસ કરાશે પરંતુ તેમાં સૌથી વધુ ભાર યુવાનો અને રોજગારીની તકો પર મૂકવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના કારણે ભાજપ તરફ યુવાઓનો મોટો વર્ગ આકર્ષાયેલો છે અને તે ભાજપની મહત્વની વોટ બેન્ક પણ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિવિધ સંગઠનો દ્વારા બેરોજગારીના મુદ્દાને લઇને આંદોલન કરવામાં આવી રહ્યા છે અને તેમાં યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે તે ભાજપ માટે ચિંતાનો વિષય છે. નાણા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બજેટમાં સરકાર લગભગ મોટાભાગના વિભાગોને રોજગારી સાથે સાંકળવા માગે છે અને તેને લગતી તકો શોધવા કે ઊભી કરવા માટે ખાસ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હાલ પ્રાથમિક રીતે સરકાર મોટાપાયે ભરતી થાય છે તેવા વિભાગો શિક્ષણ, ગૃહ, પંચાયત અને આરોગ્યને નવા નાણાકીય વર્ષમાં ભરતીનો ટાર્ગેટ આપશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. જેને સરકારની નિયમિત ભરતી કેલેન્ડર યોજના સાથે પણ સાંકળી લેવામાં આવશે. તે સાથે બજેટના કેટલાક વિભાગો જે ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી અને અર્ધશહેરી વિસ્તારોને લગતા હોય તેમાં સ્વરોજગારીની તકો ઊભી કરી શકે તેવી યોજનાઓ પણ બનાવાશે.

વધુ જુઓ..

MArriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ચા બનાવો

રણવીર અને દીપિકા ફરી માતા-પિતા બનવાના છે; પુત્રી દુઆ સાથે સુંદર અંદાજમાં બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરો

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

આગળનો લેખ
Show comments