Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

ગુરુવાર, 20 માર્ચ 2025 (11:22 IST)
chaitra navratri

 
ચૈત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી, એક ચૈત્ર અને એક શારદીય નવરાત્રી. એવું માનવામાં આવે છે કે હિન્દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર નવરાત્રી વર્ષની પહેલી નવરાત્રી છે. આ નવરાત્રીમાં, મા દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ સુધી પૂજા સંપૂર્ણ વિધિપૂર્વક કરવામાં આવે છે અને જે વ્યક્તિ પર મા દુર્ગાનો આશીર્વાદ હોય છે, તે વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને બધા દુશ્મનોનો નાશ થાય છે. બીજી બાજુ જો ચૈત્ર નવરાત્રી દરમિયાન રાશિ મુજબ અનુસાર કેટલાક ઉપાયો કરવામાં આવે તો દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ રાશિ પ્રમાણે તમારે કયા ઉપાય કરવા જોઈએ,
 
30 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. આ દિવસે, લોકો માતા દેવીના આગમન માટે પોતાના ઘરોમાં કળશ સ્થાપિત કરશે અને નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 07 એપ્રિલના રોજ સમાપ્ત થશે. આ વર્ષે નવરાત્રી નવ નહીં પણ આઠ દિવસની રહેશે. આ આઠ દિવસો દરમિયાન, તમારી રાશી મુજબ કેટલાક ઉપાયો કરી લેવા જોઈએ. આનાથી ગ્રહદોષ દૂર થાય છે અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે.
 
ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ પ્રમાણે શું કરશો ઉપાય 
 
મેષ રાશિના લોકોએ માતા દુર્ગાને લાલ ચુંદડી અને ગોળનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. પૂજા પૂર્ણ થયા પછી, પ્રસાદ બ્રાહ્મણને દાન કરો.
 
વૃષભ રાશિના લોકોએ માતા દુર્ગાને સફેદ વસ્ત્રો અથવા સફેદ દુપટ્ટો અર્પણ કરવો જોઈએ અને પ્રસાદ તરીકે ખાંડ અર્પણ કરવી જોઈએ અથવા તેને મંદિરમાં છોડી દેવી જોઈએ અથવા કોઈને દાન કરવું જોઈએ.
 
મિથુન રાશિના લોકોએ દેવી દુર્ગાને લાલ ફૂલો અને લીલા ફળો અર્પણ કરવા જોઈએ. બ્રાહ્મણને પણ દાન આપો.
 
કર્ક રાશિના લોકોએ દેવી દુર્ગાને સફેદ વસ્ત્રો અથવા સફેદ ફૂલો અર્પણ કરવા જોઈએ.
 
સિંહ રાશિના લોકોએ માતા દુર્ગાને લાલ ચુંદડી, લાલ ફૂલો અને ગોળ ચઢાવવો જોઈએ.
 
કન્યા રાશિના લોકોએ માતા દુર્ગાને લાલ ચુંદડી, લીલા ફળો અને ગોળ ચઢાવવો જોઈએ. 
 
તુલા રાશિના લોકોએ દેવી દુર્ગાને સફેદ વસ્ત્રો અથવા સફેદ ચુંદડી સાથે ખાંડ અર્પણ કરવી જોઈએ.
 
વૃશ્ચિક રાશિના લોકોએ માતા દુર્ગાને લાલ ચુંદડી અને ગોળ અર્પણ કરવો જોઈએ અને દાન પણ કરવું જોઈએ.
 
ધનુ રાશિના લોકોએ માતા દુર્ગાને પીળી ચુંદડી, પીળા ફૂલો અને દાડમ અથવા કેળું અર્પણ કરવું જોઈએ.
 
મકર રાશિના લોકોએ દેવી દુર્ગાને વાદળી અપરાજિતાનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને ખીરનો પ્રસાદ ચઢાવવો જોઈએ.
 
કુંભ રાશિના લોકોએ દેવી દુર્ગાને વાદળી અપરાજિતાનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને ખીરનો પ્રસાદ ચઢાવવો જોઈએ.
 
મીન રાશિના લોકોએ માતા દુર્ગાને પીળી ચુંદડી, પીળા ફૂલો અને દાડમ અથવા કેળું અર્પણ કરવું જોઈએ.
 

વધુ જુઓ..

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે 5 સરળ બ્યુટી ટીપ્સ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

આગળનો લેખ
Show comments