Webdunia - Bharat's app for daily news and videos

Install App

કલીસિયા

W.DW.D

આપણે બાઈબલના પુસ્તકમાં વાંચીએ છીએ કે ઘણાંએ ખ્રીસ્તીના ચમત્કારો અને તેની શિક્ષામાં વિશ્વાસ કર્યો. ધીરે ધીરે તેને એક દળ એકત્રીત કરી લીધું. તે બધા જ હકીકતામાં તેની ઉપર વિશ્વાસ કરતાં અને તેને અનુસરવા માટે તૈયાર હતાં. તેને પોતાના આ અનુયાયીઓને શિષ્યો કહ્યાં અને તેમાંથી 12 ની વિશેષ રીતે પસંદગી કરવામાં આવી. તેઓ પ્રેરિત કહેવાતાં હતાં.

શિષ્યોએ ઇશ્વરની કલીસિયાની સ્થાપના કરી. જ્યારે આપણે કલીસિયા વિશે બોલીએ છીએ ત્યારે કોઇ ભ્વન કે બિલ્ડીંગનો અર્થ નથી લગવતાં.

કલીસિયા, ઇસુ ખ્રિસ્તમાં સાચા વિશ્વાસિયોથી બનેલી છે.

એક દિવસ ઇસુએ પોતાના શિષ્યોને પુછ્યું- લોકો શું કહે છે કે માનવ પુત્ર કોણ છે? તેઓએ કહ્યું કે યોહન બપતિસ્માદાતા છે, બીજા કહે છે એલીયાસ છે, કે પછી યેરેમિયાસ અથવા નબિયોમાંથી કોઇ છે. ઇસુએ તેમને પુછ્યું કે પરંતુ તમે તમે શું કહો છો કે હું કોણ છું? ત્યારે સિમોન પેત્રુસે જવાબ આપ્યો કે તમે ખ્રીસ્ત છો, જીવિત ઇશ્વરના પુત્ર. તેની પર ઇસુએ તેમને કહ્યું- ધન્ય છે તુ યોનસના પુત્ર સિમોન કેમકે આ લોહી અને માંસે તારા પર પ્રગટ નથી કર્યું પરંતુ મારા સ્વર્ગીય પિતાએ. (મત્તી 16:13-18)

જેમકે વર્તમાનમાં ખ્રીસ્તી દેવળ છે, તેવા શરૂઆતના દિવસોમાં નહોતા. શિષ્યો પોતાના મકાનોમાં કે પછી ખુલ્લા મેદાનોમાં ભેગા થતાં હતાં પરંતુ જ્યારે વિશ્વાસિયોની સંખ્યા વધવા લાગી તો તેમને એક ભવન કે હોલની જરૂરીયાત લાગવા લાગી જેમાં તે બધા એક સાથે ખીતયાગ અર્પિત કરી શકે, પ્રાર્થના તેમજ ભજન ગાઈ શકે અને ધર્મની શિક્ષા લઈ શકે. લોકો સુસમાચાર પ્રચાર માટે દાન સ્વરૂપે પૈસા આપતાં હતાં.

યાદ રહે કે ખ્રીસ્તને એ નથી કહ્યું- પેત્રુસ તુ ચટ્ટાન છે અને આ ચટ્ટાન પર હુ મારી કલિસિયાઓને બનાવીશ. તેને ક્યારેય પણ વધારેનો ઉપયોગ નથી કર્યો જેનો અર્થ ' વધારે ' કલેસિયા થાય છે. ખ્રીસ્તે કસ્ત એક જ કલેસિયાની સ્થાપના કરી કેમકે એ કલીસિયામાં અને તેના દ્વારા આપણી અનંત મુક્તિના બધા જ સાધનો મળે છે.

વધુ જુઓ..

કાઠિયાવાડી લસણીયા બટાકાનું શાક

કાઠિયાવાડી રેસીપી- ટીંડોળા નું શાક બનાવવાની રીત

Summer Food: ના લૂ નું ટેન્શન ન ડિહાઇડ્રેશન, ઉનાળામાં રોજ આ 10 સુપરફૂડનું કરો સેવન

ગુજરાતી દાળ બનાવવાની રીત

બાંધેલો લોટ કલાકો સુધી તાજો રાખશે આ કિચન ટિપ્સ, નહીં પડે કાળો

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

Show comments