Webdunia - Bharat's app for daily news and videos

Install App

સગા મામાએ જ ભાણેજની કરી હત્યાં, પુરાવા છુપાવવા લાશના સાત ટુકડા કરીને ફેંકી દીધા

સોમવાર, 13 ઑક્ટોબર 2025 (09:50 IST)
સુરતના ભાઠેના વિસ્તારમાં સગાસંબંધીઓના સંબંધોને શર્મસાર કરતી અને ક્રૂરતાની હદ વટાવતી એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. ધંધાના હિસાબ અને પૈસાની લેતી-દેતીના વિવાદમાં મામાએ પોતાના જ ભાણેજની હત્યા કરી નાખી. એટલું જ નહીં, હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપી મામાએ લાશના સાત ટુકડા કરીને મીઠી ખાડીમાં ફેંકી દીધા હતા.
 
આપણા સમાજમાં મામા અને ભાણેજના સંબંધને ખૂબ જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે એક ભાણેજને જમાડવાથી 100 બ્રાહ્મણોને જમાડ્યા બરોબરનું પુણ્ય મળે છે. પરંતુ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે મામા અને ભાણેજના સંબંધને કલંકિત કરી છે. જી હા સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતેથી એવી ચોકાવનારી ઘટના સામે આવી છે જે સાંભળીને સૌ કોઈના રુવાડા ઊભા થઈ જશે. આ ઘટનામાં ખુદ મામા એ તેના ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી છે. એટલું જ નહીં પરંતુ હત્યા કરીને મામાએ તેના ભાણેજના શરીરના સાત ટુકડા કરી તેને થેલામાં ભરી ખાડીમાં નાખી દીધા

 
આરોપી મામા મોહમ્મદ ઇફ્તિકારે સોમવારની વહેલી સવારે હત્યાનો અમલ કર્યો. જ્યારે ભાણેજ આમિર ઊંઘમાં હતો, ત્યારે મામાએ વજનદાર હથોડી વડે તેના માથામાં ઘા મારી નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપીએ નરપિશાચ જેવું કૃત્ય આચર્યું. તેણે છરા વડે લાશના 7 ટુકડા કર્યા. આ ટુકડાઓ કોથળામાં પેક કરીને તે જ રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીઠી ખાડીમાં નાખી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી મામા કોથળા ભરેલા મોપેડ સાથે જતો જોવા મળે છે.
 
મામા-ભાણેજ ઉધના રોડ નંબર પર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. ઘણાં સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામાને આપતો ન હતો. જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝગડાઓ શરૂ થયા હતા. મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માંગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી હતી. જેથી મામાએ સંજય નગર પાસે ખાતું ભાડે રાખી લીધું હતું અને પોતાના ભાગના 30માંથી 15 મશીન આપી દેવા ભાણજને કહેતા ભાણેજે ના પાડી દીધી હતી.. જેને લઇને મામાના મનમાં ગુસ્સો હતો. આખરે તેણે ભાણેજની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો


પોલીસે તેની ઉલટ તપાસ અને પૂછપરછ શરૂ કરી હતી. દરમિયાન મામાએ તેના ભાણેજ ની હત્યા કર્યાની કબુલાત કરી દીધી હતી. પોલીસે હત્યા કરનાર મામા મહંમદ ઈતીકારની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ જુઓ..

જો તમે 30 દિવસ સુધી એક ચમચી પલાળેલા મેથીના દાણા ખાવાથી શું થાય ? જાણો હેલ્થ પર કેવો થશે જાદુ

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

Tanning Home Remedies- હાથ-પગ તડકાને કારણે કાળા થઈ જાય, તો આ દહીંમાં ભેળવીને લગાવો, ટેનિંગ ઓછું થવા લાગશે

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

5 Types Buttermilk Recipe- 5 વિવિધ પ્રકારના છાશ (Best for Diet)

વધુ જુઓ..

Divyanka Sirohi Death: માથા પર ઈજા કે હાર્ટ એટેક... ૩૦ વર્ષીય અભિનેત્રી દિવ્યાંકા સિરોહી નું કેવી રીતે થયું મોત ?

ગુજરાતી જોક્સ - રાવણ કોણ હતો

ગુજરાતી જોક્સ - જમતી વખતે વાતો ન કરાય.

ગુજરાતી જોક્સ - અઠવાડિયે વાંચ્યુ હતુ

ગુજરાતી જોક્સ - મારા લગ્નમાં

આગળનો લેખ
Show comments