Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસના દિવસે રાશિ મુજબ આટલુ કરો અને ધનલાભ મેળવો

કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાય છે. આ દિવસથી દિવાળી શરૂ થઈ જાય છે. આ તહેવાર પર ભગવાન ધન્વનંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 1 નવેમ્બર શુક્રવારના રોજ છે. તંત્ર શાસ્ત્ર મુજબ જો આ દિવસે રાશિ મુજબ કેટલાક વિશેષ તાંત્રિક ઉપાયો કરવામાં આવે તો સાધકને ધન લાભ થાય છે. આ ઉપાયો ખૂબ જ ચમત્કારી છે. 

મેષ - જો તમે ધનતેરસના દિવસે સાંજે ઘરના મુખ્ય દરવાજા પર તેલના દિવામાં બે કાળા ગુંજા નાખશો તો વર્ષભર આર્થિક અનુકૂળતા કાયમ રહેશે. તમારુ ઉધાર આપેલ ધન પણ પરત મળી જશે.

વૃષભ - જો તમારુ સંચય કરેલુ ધન સતત ખર્ચ થઈ રહ્યુ છે તો ધનતેરસના દિવસે પીપળના પાંચ પાન લઈને તેમને પીળા ચંદનમાં રંગીને વહેતા પાણીમાં છોડી દો.

મિથુન - વડ પરથી પાંચ ફળ લાવીને તેને લાલ ચંદનમાં રંગીને નવા લાલ વસ્ત્રમાં કેટલાક સિક્કા સાથે બાંધીને તમારા ઘર કે દુકાનની કોઈ ખીલ પર લટકાવી દો.


P.R
કર્ક - જો તમને અચાનક ધન લાભ થાય એવી આશા છે તો ધનતેરસના દિવસે સાંજે પીપળાના ઝાડ નિકટ તેલનો પંચ મુખી દિવો લગાવો.

સિંહ - જો તમને બીઝનેસમાં વારેઘડીએ નુકશાન થઈ રહ્યુ છે કે ઘરમાં બરકત નથી રહેતી તો ધનતેરસના દિવસે ગાયને રોજ ચારો નાખવાનો નિયમ બનાવી લો.

કન્યા - જો જીવનમાં આર્થિક સ્થિરતા નથી તો ધનતેરસના દિવસે બે કમલગટ્ટા લઈને તે માતા લક્ષ્મીના મંદિરમાં અર્પિત કરો.

તુલા - જો તમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો સાંજે લક્ષ્મીજીના મંદિરમાં નારિયળ ચઢાવો.

વૃશ્ચિક - જો તમે સતત કર્જમાં ડૂબેલા છો તો ધનતેરસના દિવસે સ્મસાનના કુવાનુ પાણી લાવીને કોઈ પીપળા વૃક્ષ પર ચઢાવો.

ધન - ધનતેરસના દિવસે ગુલેરના અગિયાર પાનને દોરા સાથે બાંધીને જો કોઈ વડ વૃક્ષ પર બાંધી દેવામાં આવે તો તમારી આર્થિક સ્થિતિ સુદ્દઢ થશે.

મકર : જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો પણ અવરોધ આવી રહ્યા છે તો આકની કપાસનો દીવો સાંજે કોઈ ત્રણ રસ્તા પર મુકવાથી તમને ધનલાભ થશે.

કુંભ - જીવન સ્થાયી સુખ સમૃદ્ધિ માટે દરેક ધનતેરસની રાત્રે પૂજા કરવાના સ્થાન પર જ રાત્રિ જાગરણ કરવુ જોઈએ.

વધુ જુઓ..

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

Tanning Home Remedies- હાથ-પગ તડકાને કારણે કાળા થઈ જાય, તો આ દહીંમાં ભેળવીને લગાવો, ટેનિંગ ઓછું થવા લાગશે

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

5 Types Buttermilk Recipe- 5 વિવિધ પ્રકારના છાશ (Best for Diet)

World Earth Day- જાણો 22 એપ્રિલે જ કેમ ઉજવાય છે આ દિવસ world Earth Day

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 એપ્રિલ

Ganga Saptami 2026 ગંગા સપ્તમી ધન પ્રાપ્તિ અને રોજગારમાં પ્રોગ્રેસ માટે કરો આ વિશેષ ઉપાય

શ્રી દિપેશ્વરી માતાજી ની પ્રાગટ્ય કથા

આજે સ્કંદ ષષ્ઠીનો પવિત્ર તહેવાર છે, જાણો શુભ સમય અને પૂજા વિધિ

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

આગળનો લેખ
Show comments