Webdunia - Bharat's app for daily news and videos

Install App

Naraka Chaturdashi, 2021- કાળી ચૌદશના ઉપાય - જે રાત્રે ઘરે કરો આ પ્રયોગ મળશે દરેક કાર્યનુ તરત પરિણામ

Updated: મંગળવાર, 2 નવેમ્બર 2021 (09:27 IST)
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને કાળી ચૌદસનુ પર્વ ઉજવાય છે. દિવાળીના પાંચ દિવસના ઉત્સવનો આ બીજો દિવસ છે. કાલી ચૌદસનુ પર્વ ભગવાન વિષ્ણુના નરકાસુર પર વિજય મેળવવાના ઉપક્ષમાં ઉજવાય છે અને આ તહેવારને દેવી કાલીના પૂજન સાથ ઊંડો સંબંધ છે. તંત્રશાસ્ત્રના અનુસાર મહાવિદ્યાઓમાં દેવી કાલિકા સર્વોપરીય છે. કાલી શબ્દ કાળથી ઉત્પન્ન થાય છે. જેનો અર્થ છે સમય, કાળો રંગ, મૃત્યુ દેવ કે મૃત્યુ. તંત્રના સાધક મહાકાળીની સાધનાને સર્વાધિક પ્રભાવશાલી માને છે અને આ દરેક કાર્યનુ તરત પરિણામ આપે છે. સાધનાને યોગ્ય રીતે કરવાથી સાધકોને અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે.  કાળી ચૌદસના દિવસે કાલિકા સર્વોપરિય છે. કાલી શબ્દ હિન્દીના શબ્દ કાલથી ઉત્પન્ન થાય છે જેનો અર્થ છે સમય, કાળો રંગ, મૃત્યુ દેવ કે મૃત્યુ. તંત્રના સાધક મહાકાલીની સાધનાને સર્વાધિક પ્રભાવશાળી માને છે અને આ દરેક કાર્યનુ તરત પરિણામ આપે છે. સાધનાને યોગ્ય રીતે કરવાથી સાધકોએન અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. કાળી ચૌદસના દિવસે કાલિકાના વિશેષ પૂજન ઉપાયથી લાંબ સમયથી ચાલી રહેલી બીમારી દૂર થાય છે. કાળા જાદૂના પ્રભાવ, બુરી આત્માઓથી સુરક્ષા મળે છે. કર્જ મુક્તિ મળે છે. બિઝનેસની પરેશાનીઓ દૂર થાય છે. દાંપત્યથી તનાવ દૂર થાય છે.  એટલુ જ નહી કાળી ચૌદસના વિશેષ પૂજન ઉપાયથી શનિના પ્રકોપથી મુક્તિ મળે છે. 
 
- તમારા વ્યવસાયમાં નિરંતર ગિરાવટ આવી રહી છે તો આજે રાત્રે પીળા કપડામાં કાળા હળદર, 11 અભિમંત્રિક ગોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને 11 અભિમંત્રિત ધનદાયક કોડિયો બાંધીને 108 વાર શ્રી લક્ષ્મી-નારાયણાય નમ: નો જપ કરી ધન મુકવાના સ્થાન પર મુકવથી વ્યવસાયમાં પ્રગતિશીલતા આવી જાય છે. 
 
- આજે કોઈ વ્યક્તિ મિર્ગી કે પાગલપનથી પીડિત હોય તો આજે રાત્રે કાળી હળદરને વાટકીમાં મુકીને લોબાનની ધૂપ બતાવીને શુદ્ધ કરો. ત્યારબાદ એક ટુકડામાં છેદ કરી કાળા ધાગામાં પિરોવીને તેના ગળામાં પહેરાવી દો અને નિયમિત રૂપે વાડકીની થોડી  હળદરનુ ચૂરણ તાજા પાણીનુ સેવન કરાવતા રહો. જરૂર લાભ મળશે. 
 
- કાળા મરચાને પાંચ દાણા માથા પર 7 વાર વારીને કોઈ સુમસામ ચારરસ્તા પર જઈને ચારેય દિશાઓમાં એક એક દાણો ફેંકી દો. અને પાંચમા બચેલા કાળા મરીના દાણાને આકાશની તરફ ફેંકી દો અને પાછળ જોયા વગર કોઈની સાથે વાત કર્યા વગર ઘરે પરત આવી જાવ.  જલ્દી પૈસા મળશે. 
 
- નિરંતર અસ્વસ્થ્ય રહેતા લોટના બે પેંડા બનાવીને તેમા ભીની ચણાની દાળ સાથે ગોળ અને વાટેલી કાળી હળદરને દબાવીને ખુદ પરથી 7 વાર ઉતારીને ગાયને ખવડાવી દો. 
 
- આજે રાત્રેના સામે કાળા મરચાના 7-8 દાણા લઈને તેને ઘરના કોઈ ખૂણામાં દિવામાં મુકીને પ્રગટાવી દો. ઘરની સમસ્ત નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. 
 
- જો તમારા બાળકને નજર લાગી ગઈ છે તો કાળા કપડામાં હળદર બાંધીને 7 વાર ઉપરથી ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments