Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસી વિવાહ 2019- ચાર મહીનાની નિદ્રાથી જાગે છે ભગવાન વિષ્ણુ, આપે છે ખાસ આશીર્વાદ

ગુરુવાર, 7 નવેમ્બર 2019 (11:16 IST)
હિંદુ ધર્મમાં તુલસી પૂજાને ખૂબ મહત્વપૂર્ણ જણાવ્યું છે. ખાસ કરીને દરેક ઘરમાં તુલસીની પૂજા કરાય છે. માનવું છે કે જે ઘરમાં તુલસીની પૂજા હોય છે. ત્યાં તુલસીનો વાસ હોય છે અને પરિવારની સુખ સમૃદ્ધિ બની રહે છે. કાર્તિક માસની એકાદશીને તુલસી વિવાહનો આયોજન કરાશે. આ વર્ષે તુલસી વિવાહની ખાસ પૂજા 8 નવેમ્બરે કરાશે. આવી માન્યતા છે કે દેવઉઠની એકાદશી પર ઉજવતા તુલસી વિવાહના આયોજનના દિવસે જ ભગવાન વિષ્ણુ ચાર મહીનાની ઉંઘથી જાગે છે. 
 
તુલસી માતા જે ભગવાન વિષ્ણુની પ્રિય ગણાય છે. તેમનો લગ્ન ભગવાન શાલિગ્રામથી હોય છે. જાણો છો તુલસી વિવાહના દિવસે પૂજા કરવાથી લોકોને કયું વિશેષ લાભ મળે છે. 
 
ખુશહાલ વૈવાહિક જીવન- જો દાંપત્ય જીવનમાં પરેશાની આવી રહી છે તો તુલસી વિવાહનો ખાસ આયોજન કરવાથી લાભ હોય છે. જો વિવાહમાં મોઢું થઈ રહ્યું છે. તો પણ તુલસી વિવાહથી મુશ્કેલીઓ દૂર થવાની શકયતા વધી જાય છે અને સારા સંબંધ મળે છે. આર્થિક સ્થિતિમાં સુધાર તુલસી વિવાહના દિવસે વિષ્ણુમી પૂજાના 
 
સમયે કેટલાક પૈસા તેની પાસે રાખવું. ત્યારબાદ આ પૈસા તમારા પર્સમાં પરત રાખી લો. આર્થિક સ્થિરતા બનાવી રાખવામાં મદદ મળે છે. 
 
કામમાં સફળતા માટે- આ દિવસે ભગવાન વિષ્ણુને નારિયેળ અને બદામ ચઢાવવાથી રોકાયેલા કાર્ય પૂર્ણ કરવામાં સહાયતા મળે છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થવાની સાથે જ જીવનમાં સુખનો આગમન પણ હોય છે. 
 
મનોકામનાની પૂર્તિ માટે- કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને તુલસી પૂજનના દિવસે ભગવાન વિષ્ણુને કેસર મળેલા દૂધથી અભિષેક કરાવો. તેના પ્રસન્ન થવાથી તમારી મનોકામના પૂર્તિમાં મદદ મળશે. 
 
સારું આરોગ્ય માટે- સારા સ્વાસ્થય માટે તમે તુલસી વિવાહના દિવસે સ્નાન કરીને ગાયત્રી મંત્રનો જપ કરવું. પરિવારની સુખ શાંતિ જાણવી રાખવા માટે હિંદુ ધાર્મિક શાસ્ત્રો મુજબ તુલસી પૂજનના દિવસે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને પૂજા કરવી જોઈએ. સાથે જ પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી. 

વધુ જુઓ..

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

વધુ જુઓ..

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

આગળનો લેખ
Show comments