Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Friendship Day - સલામત રહે દોસ્તાના હમારા....

Updated: રવિવાર, 4 ઑગસ્ટ 2024 (08:38 IST)
ક્યારેક એવું બને છે કે લગ્ન અને કેરિયર જેવા કારણોસર બહું ગાઢ મિત્રો પણ છૂટાં પડી જાય છે. જો અમે ઈચ્છીએ તો સારી દોસ્તીને સંભાળીને રાખી શકીએ છીએ.

હંમેશા સંપર્કમાં રહો.

ફોન, ઈ-મેલ, એસએમએસ આજે તો ન જાણે એવા કેટલાય સાધનો છે, જે તમે ચાહો તો આખી દુનિયાને તમારી નજીક લાવી શકે છે. તો પછી આપણે આપણા મિત્રોના સંપર્કમાં કેમ ન રહી શકીએ. અઠવાડિયામાં એક વાર ઈ-મેલ અને જ્યારે પણ સમય મળે ત્યારે ફોન કરીને હાલ-ચાલ તો પૂછી જ શકીએ છીએ. ખાસ પ્રસંગો પર મળવાનો મોકો પણ મળી શકે છે.

ત્યાગ મિત્રતાની પહેલી શરત છે.
પ્રેમ જ જાળવવો બીજો અર્થ છે.
એકલતા જીવનનો અભિશ્રાપ છે.
જે વહેંચી ન શકાય તે
ખુશી પણ નકામી છે.

માણસ ગમે તેટલો વ્યસ્ત હોય પણ વર્ષગાંઠ કે તહેવાર ઉજવવા માટે તો સમય કાઢી જ શકે છે. આ અવસર તો મિત્રો અને સંબંધીઓને મળવા માટે જ હોય છે.

મિત્રતા પર વિશ્વાસ અપાવો.

જો તમારી મિત્રતા સાચી છે તો બધા તેને સન્માનની નજરથી જ જોશે. કદી એ ન વિચારો કે તમારા પતિ કે પત્ની આ મિત્રતાને શકની નજરથી જોશે. મિત્રના પરિવારમાં પ્રેમ અને ખુશીથી જોડાવો.

મિત્ર દરેક જગ્યાએ કામ આવે છે.

મિત્રતામાં કોઈ ફર્જ કે બંધન નથી હોતું, દોસ્તીમાં તો અધિકાર હોય છે. જો તમે કે તમારો પરિવાર મુશ્કેલીમાં છે તો પોતાના મિત્રની મદદ માંગવામાં કદી પણ શરમ ન અનુભવતા.

મિત્રતા ખૂબ જ પવિત્ર સંબંધ છે, તેમાં કોઈ બંધન કે મજબૂરી નથી હોતી. મિત્રતા નિ:સ્વાર્થ હોય છે. સાચી મિત્રતા જીવનભર સાથે જ ચાલે છે. અને જવાબદાર મિત્ર દરેક સુખ-દુ:ખમાં ભાગીદાર થાય છે.

તો મિત્રો, ફ્રેંડશિપ-ડે ના દિવસે મનમાં જ સંકલ્પ કરી લો કે પોતાના સાચા મિત્રને આ દુનિયાની ભીડમાં ગુમાવી ન દેશો. જો તમને તમારી મિત્રતા પર વિશ્વાસ હશે તો એ જીંદગીભર સાથે જ ચાલશે.

વધુ જુઓ..

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments