Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાત્મા ગાંધીનાં વિચારોને વ્યકત કરતા 'હરિજન'ની દળદાર રજૂઆત

શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (11:54 IST)
P.R


મહાત્મા ગાંધીની અહિંસાની વિચારસરણી અને સત્યપૂર્ણ અભિવ્યકિત તરીકે જેને ઓળખવામાં આવે છે, તેવા 'હરિજન' મેગેઝીનની ફેકસીમાઈલ આવૃત્તિની રજૂઆત નવજીવન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ૧૯૩૩ થી ૧૯૫૬ સુધી પ્રકાશિત થયેલા 'હરિજન' મેગેઝીનને ગાંધીજીનાં આત્માના પ્રતિબિંબ તરીકે પણ જોવામાં આવે છે. 'હરિજન' નું વિમોચન તા. ૨ ઓકટો. ૨૦૧૩ ના રોજ શ્રી રાજમોહન ગાંધીના હસ્તે કરવામાં આવશે.

અસ્પૃશ્યતા અને સામાજીક સુધારાઓ અંગેના મહાત્મા ગાંધીના વિચારો 'હરિજન' મેગેઝીનમાં પ્રગટ થતા હતા. 'હરિજન' મેગેઝીન અહિંસાની વિચારસરણી અને સત્યપૂર્ણ અભિવ્યકતને રજૂ કરવાની કસરત અને શિસ્ત હતી.

નવજીવન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું કે, ૧૯૩૩ થી ૧૯૫૬ સુધી પ્રકાશિત થયેલા 'હરિજન' ને દળદાર સ્વરૃપે કુલ ૧૯ વોલ્યુમમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ૧૯ વોલ્યુમ્સમાં કુલ ૮૪૦૦ પાનાઓ અને ૯૫૫ અંકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ અંકોની 'ઈન્ડેકસ' નું એક વોલ્યુમ પણ પૂરવણી તરીકે હશે, જેનું કામ જાણીતા અર્થશાસ્ત્રી તથા પ્રો. હેમંતકુમાર શાહે કર્યુ છે. આમ કુલ ૨૦ વોલ્યુમ પ્રગટ થશે. આ સેટની કિંમત રૃ. ૩૦૦૦૦ છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા વ્યકિતગત ખરીદનારાઓ માટે ૩૦ જાન્યુઆરી ૨૦૧૪ સુધી આ વોલ્યુમ રૃ. ૨૫૦૦૦ માં આપવામાં આવશે.


( શૈલેષ ભટ્ટ દ્વારા)

વધુ જુઓ..

Mango juice Recipe - શાહી કેરીનો રસ

ઘઉં માં ધનેડા નહીં આવે, તેને સંગ્રહ કરતી વખતે ફક્ત આ 2 વસ્તુઓ ઉમેરો.

ફોન કવરમાં પૈસા મુકો છો ? આ આદત તમને મોંઘી પડી શકે છે

Kids Story- શિયાળની ચાલાકી

નાસ્તામાં મેંગ્લોર સ્ટાઇલની ગોલી ભજીયા બનાવો. આ રેસીપી ફોલો કરો અને આ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - અઠવાડિયે વાંચ્યુ હતુ

ગુજરાતી જોક્સ - મારા લગ્નમાં

અમદાવાદમાં જોવાલાયક સ્થળો ના નામ

US માં બતાવાઈ રામાયણ ની 20 મીનીટની ફૂટેજ, જોઈને બોલ્યો યૂટ્યુબર, બોલ્યો - ઓસ્કર સુધી જશે

ગુજરાતી જોક્સ - એક વર્ષ પછી

આગળનો લેખ
Show comments