Webdunia - Bharat's app for daily news and videos

Install App

Glacier - ગ્લેશિયર શું છે

Updated: મંગળવાર, 15 જૂન 2021 (09:46 IST)
Glacier 
પૃથ્વીની સપાટી પર વિશાળ આકારની ગતિશીળ બરફરાશિને ગ્લેશિયર કહે છે. તેને હિમાની કે હિમનદી અને અંગ્રેજીમાં ગ્લેશિયર  Glacier કહેવાય છે. 
 
ગ્લેશિયર શું છે 
ગ્લેશિયર બરફની વિશાળ માત્રા છે. બરફની એક રાશિને ગ્લેશિયર કહે છે. તેને હિમાની કે હિમનદી અને અંગ્રેજીમાં ગ્લેશિયર  Glacier કહેવાય છે. 
 
પૃથ્વીની સપાટી પર વર્ષો સુધી એક જ જગ્યા પર બરફ એકત્ર રહેતા ગ્લેશિયર બને છે. જે ધીમે-ધીમે વહે છે. ગ્લેશિયરની ઉત્પતિ ઉંચા પહાડી ક્ષેત્રોમાં હોય છે. ગ્લેશિયરના બે પ્રકાર છે અલ્પાઈન અને આઈસ શીટસ. પહાડો પર ગ્લેશિયર અલ્પાઈન રૂપમાં હોય છે. 
 
પહાડી ગ્લેશિયર સૌથી વધુ ખતરનાક હોય છે. ગ્લેશિયર તૂટવાથી નદીમાં વધુ પાણી આવે છે જેના કારણે પૂર આવે છે. અને વિનાશની સ્થિતિ સર્જાય છે. 

કેવી રીતે તૂટે છે  ગ્લેશિયર ?
ગ્લેશિયર વર્ષોથી મોટા પ્રમાણમાં બરફ એક સ્થાને એકત્ર થવાથી બને છે. આ  બે પ્રકારનાં હોય છે અલ્પાઇન ગ્લેશિયર્સ અને બરફની ચાદરો. પર્વતોના ગ્લેશિયર અલ્પાઇન કેટેગરીમાં આવે છે. પર્વતો પર ગ્લેશિયર તૂટવાના ઘણા કારણો હોઈ શકે છે  એક ગુરુત્વાકર્ષણને કારણે છે અને બીજું ગ્લેશિયરના કિનારા પર વધતા તણાવને કારણે. ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ પીગળવાથી પણ ગ્લેશિયરનો કોઈ ટૂકડો અલગ થાય છે તો તેને કાલ્વિંગ કહે છે. 
 
ગ્લેશિયર પૂર કેવી રીતે આવે છે?
ગ્લેશિયર ફાટવા અથવા તૂટી જવાને કારણે આવનારા પૂરના પરિણામો ખૂબ ભયંકર હોઈ શકે છે. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક થાય છે  પાણી તેનો રસ્તો શોધી કાઢે  છે અને જ્યારે તે ગ્લેશિયરમાંથી પસાર થાય છે ત્યારે બરફ પીગળવાનો દર વધે છે.  તેનાથી માર્ગ મોટો થતો જાય છે અને બરફ પણ ઓગળે છે અને વહેવા લાગે છે એનસાયક્લોપિયા બ્રિટાનિકાના જણાવ્યા મુજબ, તેને આઉટબર્સ્ટ ફ્લડ (Outburst flood) કહેવામાં આવે છે.  તેઓ સામાન્ય રીતે ડુંગરાળ વિસ્તારોમાં થાય છે. કેટલાક ગ્લેશિયર દર વર્ષે તૂટે છે, તો કેટલાક બે કે ત્રણ વર્ષના અંતરે. કેટલાક કયારે તૂટશે તેનો અંદાજ લગાવવો લગભગ અશક્ય છે. 

વધુ જુઓ..

Live- વડાપ્રધાન મોદી રાજઘાટ પહોંચ્યા, બાપુને આપી શ્રદ્ધાંજલિ; થોડીવારમાં લાલ કિલ્લા પર ફરકાવશે તિરંગો

સુરત હીરા બજારમાં 4.80 કરોડની છેતરપિંડી, દુબઈથી નેપાળ થઈ પરત ફરેલા આરોપીની ધરપકડ

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

Independence Day 2026- 15 ઓગસ્ટે PM મોદી કયો રેકોર્ડ બનાવી શકે? જાણો, આ વખતે લાલ કિલ્લા પર શું ખાસ હશે

જેપી નડ્ડાની તબિયત અચાનક કેમ બગડી? કોરોનરી એન્જીયોગ્રાફી બાદ ડોક્ટરોએ તેમની તબિયતનો અહેવાલ આપ્યો.

વધુ જુઓ..

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

આગળનો લેખ
Show comments