Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે 
પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ......... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને ...........
પંખીડા .......... ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ........ ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના ગાંધીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળી જઇને ............
પંખીડા ....... ઓ પંખીડા ..........
ઓલ્‍ય ાગામના માળીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને ..........

વધુ જુઓ..

રાજમા કબાબ રેસીપી

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Show comments