Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચહેરાની કાળજી રાખવી જરૂરી

ચહેરો આપણી ઉંમરનો અરીસો હોય છે. ઘણી વખત થોડીક બેજવાબદારીથી ચાંદ જેવો ચહેરો કરમાઈ જાય છે. આજે બહુરાષ્ટ્રીય કંપનીઓ સુંદરતાને જાળવી રાખવા માટેના પોતાની જાહેરાતોની ખુબ જ લોભામણી એડ આપે છે. પરંતુ આ ઉત્પાદન સુંદરતા વધારવાની જગ્યાએ નુકશાન કરે છે. કેમકે તેની અંદર ઘણી પ્રકારના રસાયણિક તત્વો મળેલા હોય છે. તો બને ત્યાર સુધી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાને મુલાયમ અને સુંદર બનાવો. 


  N.D
સુંદરતા જાળવી રાખવા માટે સૌ પ્રથમ ચહેરાની સફાઈનું ધ્યાન રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત કોઈ સારા તેલથી કે ક્રીમ વડે માલિશ કરવી. ત્યાર બાદ પોતાની પસંદનું ઉબટન જે હળદર, દૂધ, મલાઈ અને ફળોના રસથી તૈયાર કરેલું હોય તે લગાવો. તેને 15-20 મિનિટ રાખ્યા બાદ સ્નાન કરી લો. સાબુનો પ્રયોગ કરવાનું બની શકે ત્યાર સુધી ટાળો.

સંતુલિત આહાર લો. તેમાં તમે ફળ, સલાડ, જ્યુસ, અંકુરિત અનાજ, છોતરાવાળી દાળ, વગેરેનો સમાવેશ કરો. દિવસ દરમિયાન 10થી 2 ગ્લાસ પાણી પીવો. ખાવામાં ચરબીવાળા ખોરાક તેમજ મસાલાવાળી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.

ત્વચાની સુંદરતા વધારવા માટે વ્યાયામ પણ ખુબ જ જરૂરી છે. આનાથી શરીરની અંદર લોહીનું પરિભ્રમણ તીવ્ર ગતિથી થાય છે. શ્વાસની ગતિ ઝડપી હોવાથી ફેંફસાઓનો પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહેશે. આનાથી ત્વચામાં તાજગી આવે છે અને ત્વચા સુંદર દેખાય છે.

તણાવ ત્વચાનો સૌથી મોટો દુશ્મન છે. આના દુષ્પ્રભાવને લીધે ચહેરો થાકેલો લાગે છે. તણાવમુક્ત રહીને ચહેરાને સ્વસ્થ્ય અને તેજસ્વી બનાવી રાખો.

ઉંઘ ઓછી ન કરવી : ત્વચાની તંદુરસ્તી માટે ભરપુર ઉંઘ લેવી જરૂરી છે. આની ઉણપથી ત્વચા પર કરચીલો પડી જાય છે.

દરિંદગીની તમામ હદો પાર: 30 વર્ષની મહિલાની સાથે 5 લોકોએ કર્યો સામૂહિક દુષ્કર્મ, સારવાર દરમિયાન ખાનગી અંગમાંથી મળ્યા પથ્થર અને લાકડાના ટુકડા

વર્સોવા બીચ પર રાતે સેંકડો લોકોનું આશ્રય, વાયરલ વીડિયોએ ઉઠાવ્યા મોટા સવાલો

કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર! 12.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

કોણ છે રામશંકર ઉર્ફ ટિન્નૂ યાદવ, જેનુ રામમંદિર દાન ચોરી મામલા વચ્ચે સામે આવ્યુ નામ, કરોડોની પ્રોપર્ટીનો આરોપ

બ્રાઝિલને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેઓ તેમની આગામી મેચમાં કેપ્ટન નેમાર વિના રમશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Show comments