Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair Care Tips - વાળની માવજત માટેના કેટલાક ઉપાયો...

ગુરુવાર, 17 માર્ચ 2022 (12:19 IST)
હેર ઓઇલ - વાળમાં તેલ લગાવવાથી હંમેશા ફાયદો થાય છે. પણ હોળી રમતા પહેલા જરૂરી છે વાળમાં સારી રીતે તેલ લગાવવામાં આવે. કારણ કે રંગોમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ કે મસ્ટર્ડ ઓઇલ વધારે લાભદાયક હોય છે. તેલ લગાવતી વખતે ધ્યાન રહે કે 
 
તેને વાળના મૂળમાં લગાવવામાં ન આવે. ડૉક્ટરની સલાહ અનુસાર તેલ જો મૂળમાં લગાવવામાં આવશે તો રંગ પણ એટલા જ ઊંડે સુધી ચોંટેલા રહેશે જે વાળ માટે બહુ 
 
નુકસાનદાયક છે.
 
વાળમાં રંગ ન લગાવશો - પ્રયાસ કરો કે વાળમાં રંગ ન લાગે. તેમ છતાં જો જાણતા-અજાણતા રંગ લાગી પણ જાય તો તેને તુરંત જ ધોઇ લો. સુરક્ષાની દ્રષ્ટિએ તમે વાળને 
 
ઢાંકીને ધૂળેટી રમી શકો છો. માથા પર રૂમાલ બાંધીને કે પછી કેપ પહેરીને પણ રમી શકો છો.
 
વાળને સાફ રાખો - સાંભળવમાં થોડું અજીબ લાગશે, તમને થશે કે એમ પણ હોળી રમવાથી વાળ ખરાબ થવાના છે તો તેને સાફ રાખવાની જરૂર શું છે. પણ ડૉક્ટર અનુસાર જે 
 
વાળમાં પહેલેથી જ ગંદકી કે ખોડો હોય છે તે સાફ થાય તે જરૂરી છે નહીં તો રંગોની સાથે તે ગંદકી પણ વાળમાં ચોંટી જશે અને આનાથી ફંગલ ઇન્ફેક્શન કે પછી વાળ નબળા 
 
થવાનું જોખમ સર્જાશે.
 
વાળને બાંધીને રાખો - તમારા વાળ લાંબા હોય તો પ્રયાસ કરો કે તેને બાંધીને જ રાખવામાં આવે. વાળ એવી રીતે બાંધો કે જેનાથી વાળના મૂળ વ્યવસ્થિત રીતે ઢંકાઈ જાય, 
 
આનાથી તમે મૂળમાં રંગ ભરાતો રોકી શકશો.
 
સારા રંગોનો પ્રયોગ કરો - વાળમાં રંગ લાગતો તો તમે નહીં રોકી શકો પણ તમે પ્રયાસ કરો કે કોઇ રંગ કે હર્બલ રંગોનો જ ઉપયોગ કરે. ખરાબ ગુણવત્તા ધરાવતા રંગ, ગ્રીસ 
 
કે પછી પેઇન્ટ વગેરે વાળમાં ન લાગે તેનું ધ્યાન રાખો. તમે તમારા વાળને પ્રેમ કરો છો અને હોળી પર ખૂબ ધમાલ કરવા પણ ઇચ્છો છો તો તમારે તમારા વાળની કાળજી 
 
માટેના પગલા ભર્યા પછી ધૂળેટી રમવી.
 

વધુ જુઓ..

વૈભવને કેવી રીતે આઉટ કરવો ?15 વર્ષનો ખેલાડી બોલરો માટે બન્યો માથાનો દુ:ખાવો, જોફ્રા આર્ચરે આપી ચેતાવણી

1 જૂનથી લાગુ થશે આ 6 મોટા નાણાકીય ફેરફારો, સીધી અસર પડશે તમારા ખિસ્સા અને બજેટ પર

2500 કિમી સુધી ફેલાયેલા વાદળોનો ખતરો: ગંભીર ચક્રવાતી તોફાનથી ભારે વરસાદની આગાહી, 15 રાજ્યોમાં 5 દિવસ રેડ એલર્ટ

Marashatra Hooch Tragedy- મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર: 15નાં મોત, અનેકની હાલત ગંભીર થતાં તંત્રમાં હડકંપ

રાજૌરીમાં એન્કાઉન્ટર સાત દિવસથી ચાલી રહ્યું છે; સેના ખાડામાં છુપાયેલા આતંકવાદીઓને શોધીને મારી નાખશે.

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments