Dharma Sangrah

ગુડ ફ્રાઈડે નિબંધ

સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (12:56 IST)
Good Friday- ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા છે. એટલા માટે ગુડ ફ્રાઈડેના દિવસને શોકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં, ગુડ ફ્રાઈડે 29 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસને બ્લેક ફ્રાઈડે તરીકે ઓળખવામાં આવે છે.
 
ઈશુના પ્રાણ ત્યજતી સમયે આ ઘટનાઓ બની હતી 
 
બાઈબિલના મુજબ ઈસા મસીહ છ કલાક સુધી સલીબ પર લટકતા રહ્યા અને યાતના સહન કરતા રહ્યા. તેમના સલીબ પર ચઢાવવાના અંતિમ કલાક દરમિયાન બપોરથી  અપરાહ્ય 3 વાગ્યા સુધી આખા દેશમાં અંધારુ છવાયેલુ રહ્યુ અને જ્યારે કે ચીસ પછી ઈસા મસીહએ પોતાના પ્રાણ ત્યજી દીધી ત્યારે એ સમયે એક ભૂકંપ આવ્યો હતો. જ્યારે કબરો તૂટીને ખુલી ગઈ અહ તી અને પવિત્ર મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો હતો. 
 
ત્યાર બાદ અડધી રાત્રે સામાન્ય કમ્યુનિયન સર્વિસ થાય છે.
 
ઘણી જગ્યાએ તો કાળા વસ્ત્રો પહેરીને શ્રદ્ધાળુઓ ઈશુની છબી લઈને માતમ મનાવતાં એક ચાલવાનો સમારોહ કાઢે છે અને પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે.
 
 ગુડ ફ્રાઈડે પ્રાયશ્ચિત અને પ્રાર્થનાનો દિવસ છે તેથી આ દિવસે ગિરજાઘરોમાં બેલ વગાડવામાં આવતી.નથી
 
ગુડ ફ્રાઈડેનુ મહત્વ 
 
ઈસાઈ ધર્માવલમ્બિયો માટે ગુડ ફ્રાઈડેનુ વિશેષ મહત્વ રાખે છે. અનેક લોકો આ બલિદાન માટે ઈસા મસીહની કૃતજ્ઞતા વ્યક્ત કરતા 40 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જેને 'લેંટ' કહેવામાં આવે છે તો કોઈ ફક્ત શુક્રવારના દિવસે ઉપવાસ કરીને પ્રેયર(પ્રાર્થના) કરે છે. આ દિવસ પ્રભુ ઈસાના ઉપદેશો અને તેમની શિક્ષાઓ અને વચનોને ફક્ત યાદ કરવાનો જ દિવસ નથી પણ તેને અમલમાં લાવવા માટે પ્રેરિત થવાનો દિવસ છે.  સલીબ પર લટકતા ઈસએ જે અંતિમ વાત કહી હતી, એ તેમને ક્ષમાની શક્તિની અન્યતમ મિસાલ છે.  સલીબ પર લટકાવ્યા પછી મૃત્યુ પહેલા તેમના માર્મિક અને હ્રદયગ્રાહી શબ્દ હતા - 'હે ઈશ્વર તેમને ક્ષમા કરો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શુ કરી રહ્યા છે.' 

વધુ જુઓ..

ધંધુકામાં એક યુવાનની હત્યા બાદ ભારે તણાવ, બે સમુદાયો વચ્ચે અથડામણ, શહેરમાં આગચંપી અને પોલીસનો કડક બંદોબસ્ત.

તીવ્ર ગરમીનું આગમન: તાપમાન 45°C સુધી વધ્યું; આ 15 રાજ્યો માટે IMD ની ચેતવણી વાંચો

બલબીર પુંજ કોણ હતા? પ્રધાનમંત્રી મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

આજથી ચાર ધામ યાત્રા શરૂ: ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખુલશે; બદ્રીનાથ અને કેદારનાથ માટે રાહ જોવાનું ચાલુ છે

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments