ganesh chaturthi

પત્ર લેખન - તમારા વિસ્તારમાં ગંદકીને કારણે પેદા થયેલ મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને ફરિયાદ કરતો પત્ર લખો.

Updated: શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (16:43 IST)
તમારા વિસ્તારમાં ગંદકીને કારણે પેદા થયેલ મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને ફરિયાસ કરતો પત્ર લખો. 
 
 
                                                                                                            તારીખ- જાન્યુઆરી 20, 2019 
 
પ્રતિ, 
હેલ્થ ઑફિસરશ્રી, ઝોનલ ઑફિસ, પશ્ચિમ વિભાગ 
ઉસ્માનપુરા, અમદાવાદ 
 
               વિષય- ગંદકીની કારણે મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે... 
 
માનનીય સાહેબશ્રી, 
 
   હું નારણપુરા વિસ્તારની 'રવિકુંજ સોસાયટીમાં રહું છું. આ વખતે વરસાદનો અતિરેક થયો છે. સો સાયટીમાં પુષ્કળ જગ્યાએ પાણી ભરાયા છે. તેમાં મચ્છરો થયા છે. આ મચ્છરોને કારણે મેલેરિયા, ચિકનગુનિયા તેમજ વાઈરલ ઈંફેક્શનના ભારે વાયર આ છે. ઘેર ઘેર માંદગીના ખાટલા છે. સોસાયટીમા એકાદ -બે બાળકોના મૃત્યુ પણ થયાં છે. 
 
આવા સંજોગોમાં મ્યુનિસીપાલીટીનું કર્તવ્ય લોકોને જરૂરી મદદ પૂરી પાડવાનું છે. આવી ઉપેક્ષા અત્યંત ખતરનાક ગણાય. આ રસ્તાઓના પાણીનો નિકાસ સત્વરે કરવાની જરૂરી છે. માટી પથ્થર- કપચી નાખીને ખાડાઓને પૂરવાની તાત્કાલિક જરૂર છે. ત્યારબાદ દવાનો છટંકાવ કરવાની પણ ખાસ જરૂર છે. 
 
ગંદગી કરનારા લોકોને પણ શિક્ષા કરવાની જોગવાઈ મ્યુનિસિપાલિટીએ કરવી જોઈએ. આપના તપાસ અધિકારીએ જાત-તપાસ કરીને જોવું જોઈએ કે લોકો તેમના ઘરનું પાણી બહાર કાઢીને ગંદકી કરે છે? જો તેમ કરતા હોય તો તેમને દંડ થવો જોઈએ. આશા છે કે યોગ્ય પગલાં આપશ્રીની સૂચનાનુસાર સત્વરે લેવાશે. 
 
                                                                                                                                     આપનું વિશ્વાસું 
                                                                                                                                         અ બ ક 

વધુ જુઓ..

નશામાં ધૂત હેડમાસ્ટરે 35 બાળકોને શાળામાં બંધ કરી ગેટને તાળું માર્યું, શિક્ષણ વિભાગે લીધો મોટો એક્શન

BRICS સમિટનો કહેર! દિલ્હીની હોટલોમાં એક રાતનું ભાડું 1.30 લાખથી 13 લાખ સુધી પહોંચ્યું

અમદાવાદની ઝાયડસ, DPS, ઉદગમ સ્કૂલ અને ગાંધીનગર કોર્ટને બોમ્બની ધમકી: 'ખાલિસ્તાની' ઈમેઈલથી ખળભળાટ

ગુજરાતમાં ‘આરોગ્ય મૈત્રી પહેલ’ નો પ્રારંભ, દુર્ગમ વિસ્તારોમાં એરડ્રોપ થઈ શકતી ‘BHISHM Cube’ હોસ્પિટલનું વિશિષ્ટ પ્રદર્શન

ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ

વધુ જુઓ..

પિતૃદોષથી મુક્તિ મેળવવા માંગો છો ? તો શ્રાવણી અમાવસ્યા પર આ 7 સ્ટેપ્સમાં કરો પિતરોનું તર્પણ

Ganesh Chaturthi 2026- ભગવાન ગણેશની પૂજા માટે પૂજા સામગ્રીની યાદી

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

Pithori Amavasya 2026 : જાણો પિઠોરી અમાવસ્યાની વ્રતકથા, પૂજા વિધિ અને મહત્વ

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

આગળનો લેખ
Show comments