Webdunia - Bharat's app for daily news and videos

Install App

Careful Holi - અસ્થમાના દર્દીઓએ હોળીના દિવસે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તહેવાર મોંઘો પડશે

Updated: મંગળવાર, 7 માર્ચ 2023 (08:49 IST)
હિન્દુ ધર્મમાં હોળી ખૂબ જ મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. રંગો અને ગુલાલ વગર આ તહેવાર અધૂરો માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમથી રંગ લગાવે છે અને ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. પરંતુ અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આ તહેવાર ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. જો હોળીના દિવસે ગુલાલ કે રંગ તેમના  મોંઢામાં જાય તો તેમને અસ્થમા અટેક આવી શકે છે. આજે અમે અસ્થમાના દર્દીઓ માટે સાવધાની સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ટીપ્સ બતાવી રહ્યા છીએ.
 
કેમિકલયુકત રંગ અને ધૂળથી દૂર રહો
જે લોકો અસ્થમાથી પીડિત છે તેમણે મસ્તી, કેમિકલ રંગો અને ધૂળવાળી માટીની અસરોથી બચવું જોઈએ. જો તમને હોળી રમવાની બહુ ઈચ્છા હોય તો તમે પાણીથી હોળી રમી શકો છો. કારણ કે, રંગ અને ગુલાલથી હોળી રમવાથી અસ્થમાના અટેકનો ખતરો વધી જાય છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ રીતે બગડી શકે છે.
 
હંમેશા સાથે રાખો ઇન્હેલર 
અસ્થમાના દર્દીઓએ હોળીના દિવસે હંમેશા પોતાની સાથે ઇન્હેલર રાખવું જોઈએ. આ દિવસે, મોટી ભીડમાં હોળી ઉજવવાથી, તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, આવી સ્થિતિમાં, તમારી પાસે ઇન્હેલર હોવું આવશ્યક છે. આના ઉપયોગથી તમે તરત જ રાહત મેળવી શકો છો. જો તમારી પાસે ઇન્હેલર નથી, તો તેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
 
પીડિતને થઈ શકે છે પરેશાની  
જાણકારોના મતે, અસ્થમાના દર્દીઓએ કેમિકલ રંગોથી હોળી રમવાનું ટાળવું જોઈએ. એનું કારણ તે રંગોમાં હાજર એ કણ હોય છે, જે સીધા હવાના સંપર્કમાં રહે છે. જ્યારે તે કણો દર્દીઓના ફેફસામાં પ્રવેશ કરે છે, ત્યારે પીડિતને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments