Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ ફ્લાવરથી યૂરિક એસિડ વધે છે ? જાણો શિયાળામાં સૌથી વધુ ખાવામાં આવતા આ શાકના નુકશાન

ગુરુવાર, 2 નવેમ્બર 2023 (17:15 IST)
Cauliflower side effects
Cauliflower Side Effects - ફ્લાવર આ ઋતુમાં સૌથી વધુ ખાવામાં આવતુ શાક છે. લોકો તેનાથી પરાઠા, શાક, પકોડા અને તમામ પ્રકારની વસ્તુઓ બનાવે છે અને ખાય છે.  પરંતુ તેનુ વધુ પડતુ સેવન શરીરને કેટલી હદ સુધી લાભકારી છે. તે જાણવુ પણ જરૂરી છે. શિયાળાના હિસાબથી જોવા આવે તો આ શાકની તાસીર ગરમ છે અને તેમા અનેક પ્રકારના ન્યૂટ્રીએંટ્સ જોવા મળે છે. આ શરીરને તમામ પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી વધારે છે. પણ કેટલીક સ્થિતિમાં આનુ સેવન નુકશાનદાયક પણ હોઈ શકે છે. જેવુ કે એક સ્થિતિ છે હાઈ યૂરિક એસિડ. આવો જાણીએ વિસ્તારપૂર્વક. 
 
 શુ ફ્લાવરથી યૂરિક એસિડ વધે છે -  Does cauliflower high in uric acid  
 
ફ્લાવરનુ સેવન યૂરિક એસિડની સમસ્યામાં નુકશાનદાયક હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફ્લાવરમાં પ્યુરીન હોય છે અને આ શાકના વધુ પડતા સેવનથી તમારા શરીરમાં યૂરિક એસિડનુ નિર્માણ થઈ શકે છે.  આનાથી આગળ ચાલીને કિડની-સ્ટોન અને ગાઉટ જેવી બીમારીઓ થઈ શકે છે. આ ઉપરાંત આ આપણી મેટાબોલિક ગતિવિધિઓને પણ પ્રભાવિત કરી શકે છે. જેનાથી પ્યુરિન મેટાબોલિજ્મ પ્રભાવિત થાય છે અને આ શરીરમાં વધે છે. તેથી જો તમે હાઈ યૂરિક એસિડના દર્દી છો તો આ શાક ખાવાથી બચો. 
  
ફ્લાવર ખાવાના  નુકશાન - Cauliflower side effects
-ફ્લાવર ગંભીર એનાફિલસસ (anaphylaxis) ને ટ્રિગર કરી શકે છે જે કોઈ પદાર્થના પ્રતિ શારીરિક એલર્જીની પ્રતિક્રિયા છે. 
- ફ્લાવરમાં રૈફિનોજ નામનુ શુગર હોય છે અને તેને તોડવુ મુશ્કેલ હોય છે. જેને કારણે ગૈસ્ટ્રિક સમસ્યાઓ થાય છે અને સોજો અને પેટ ફુલવુ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકેછે.  
-કોબીજ, હાઇપોથાઇરોડિઝમ અથવા તેના જેવી સ્થિતિથી પીડિત લોકોને શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં, તે થાઇરોઇડ હોર્મોનને અસર કરે છે.
 
 તેથી, આ રીતે કોબીજ ખાવું તમારા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેથી, વધુ માત્રામાં તેનું સેવન કરવાનું ટાળો. જો તમારું પેટ ઠીક નથી અથવા તમને હાઈ યુરિક એસિડની સમસ્યા છે તો તેનું સેવન બિલકુલ ટાળો.

વધુ જુઓ..

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments