Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોમાસાની ઋતુમાં ખાંસીથી રાહત મેળવવા માટે ઉકાળામાં શું શું નાખવું ?

Updated: ગુરુવાર, 24 જુલાઈ 2025 (07:36 IST)
બદલાતી ઋતુમાં  લોકો ઘણીવાર શરદી અને ખાંસી જેવી સમસ્યાઓનો ભોગ બને છે. જો તમે આવી સમસ્યાઓથી રાહત મેળવવા માંગતા હોય, તો તમે પોષક તત્વોથી ભરપૂર આ દેશી ઉકાળો પી શકો છો. આ ઉકાળો દરરોજ પીવો  અને થોડા જ દિવસોમાં તમને આપમેળે પોઝીટીવ અસરનો અનુભવ થવા માંડશે. ચાલો આ ઉકાળાની ખૂબ જ સરળ રેસીપી વિશે માહિતી મેળવીએ.
 
ઉકાળો કેવી રીતે બનાવવો?
 
ઉકાળો બનાવવા માટે, પહેલા 6 તુલસીના પાનને સારી રીતે ધોઈ લો. હવે તુલસીના પાન, અડધી ચમચી કાળા મરી અને એક ઇંચ આદુનો ટુકડો સારી રીતે વાટી  લો. આ પછી, એક પેનમાં 2 કપ પાણી અને આ ત્રણ વાટેલી વસ્તુઓ નાખો અને આ મિશ્રણ અડધું રહે ત્યાં સુધી ઉકાળો. છેલ્લે, તમે તેમાં એક ચમચી ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો. હવે તમે આ ઉકાળો ગાળી લો.
 
ઉધરસથી છુટકારો મેળવો
તુલસીના પાનમાંથી બનેલો આ ઉકાળો શરદી, ખાંસી અને ફ્લૂ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વરસાદની ઋતુમાં મોસમી રોગોનું જોખમ ઘટાડવા માટે આ ઉકાળો તમારા રોજના ડાયેટનો એક  ભાગ પણ બનાવી શકાય છે. વધુ સારા પરિણામો મેળવવા માટે, તમારે દરરોજ આ ઉકાળો નિયમિતપણે પીવો પડશે.
 
હેલ્થને મજબૂત બનાવો
આ ઉકાળો નિયમિતપણે પીવાથી, તમે તમારી ઈમ્યુનીટીને ઘણી હદ સુધી વધારી શકો છો. આ ઉકાળો શ્વાસની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ પી શકાય છે. આ ઉકાળો પીવાથી શરીરને  દુ:ખાવા અને જકડનમાં પણ રાહત મળે છે. આ ઉકાળામાં જોવા મળતા બધા પોષક તત્વો આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments