Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોમાસાની ઋતુમાં ખાંસીથી રાહત મેળવવા માટે ઉકાળામાં શું શું નાખવું ?

Updated: ગુરુવાર, 24 જુલાઈ 2025 (07:36 IST)
બદલાતી ઋતુમાં  લોકો ઘણીવાર શરદી અને ખાંસી જેવી સમસ્યાઓનો ભોગ બને છે. જો તમે આવી સમસ્યાઓથી રાહત મેળવવા માંગતા હોય, તો તમે પોષક તત્વોથી ભરપૂર આ દેશી ઉકાળો પી શકો છો. આ ઉકાળો દરરોજ પીવો  અને થોડા જ દિવસોમાં તમને આપમેળે પોઝીટીવ અસરનો અનુભવ થવા માંડશે. ચાલો આ ઉકાળાની ખૂબ જ સરળ રેસીપી વિશે માહિતી મેળવીએ.
 
ઉકાળો કેવી રીતે બનાવવો?
 
ઉકાળો બનાવવા માટે, પહેલા 6 તુલસીના પાનને સારી રીતે ધોઈ લો. હવે તુલસીના પાન, અડધી ચમચી કાળા મરી અને એક ઇંચ આદુનો ટુકડો સારી રીતે વાટી  લો. આ પછી, એક પેનમાં 2 કપ પાણી અને આ ત્રણ વાટેલી વસ્તુઓ નાખો અને આ મિશ્રણ અડધું રહે ત્યાં સુધી ઉકાળો. છેલ્લે, તમે તેમાં એક ચમચી ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો. હવે તમે આ ઉકાળો ગાળી લો.
 
ઉધરસથી છુટકારો મેળવો
તુલસીના પાનમાંથી બનેલો આ ઉકાળો શરદી, ખાંસી અને ફ્લૂ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વરસાદની ઋતુમાં મોસમી રોગોનું જોખમ ઘટાડવા માટે આ ઉકાળો તમારા રોજના ડાયેટનો એક  ભાગ પણ બનાવી શકાય છે. વધુ સારા પરિણામો મેળવવા માટે, તમારે દરરોજ આ ઉકાળો નિયમિતપણે પીવો પડશે.
 
હેલ્થને મજબૂત બનાવો
આ ઉકાળો નિયમિતપણે પીવાથી, તમે તમારી ઈમ્યુનીટીને ઘણી હદ સુધી વધારી શકો છો. આ ઉકાળો શ્વાસની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ પી શકાય છે. આ ઉકાળો પીવાથી શરીરને  દુ:ખાવા અને જકડનમાં પણ રાહત મળે છે. આ ઉકાળામાં જોવા મળતા બધા પોષક તત્વો આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.

વધુ જુઓ..

હસીની સિયા, સોનમ અને મુસ્કાન કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ, પતિને ભયાનક મોત આપ્યું, જાણો આખી વાર્તા

વિક્રમ-1 શ્રીહરિકોટાથી ઉડાન ભરશે, જે દેશનું પ્રથમ ખાનગી રોકેટ છે અને ઇતિહાસ રચવા માટે તૈયાર છે

ધારમાં શુક્રવારની નમાજ ન થઈ; મુસ્લિમ સમુદાયે વહીવટીતંત્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ભોજશાળા સંકુલ પાસે જગ્યાની માંગણી કરી.

શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો! સેન્સેક્સ 964 પોઈન્ટ વધ્યો, અને નિફ્ટી પણ 261 પોઈન્ટ વધ્યો

દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડવા માટે તૈયાર, જાણો કેવી રીતે કામ કરશે તેની ટેકનીક, પાણીની વરાળ છોડશે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments