Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stiches સ્ટીચના કે કોઈ ઈજાના નિશાન દૂર કરવાના ટિપ્સ

બુધવાર, 15 જાન્યુઆરી 2020 (15:44 IST)
બાળપણમાં રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરેર પર નિશાન રહી જાય છે. જો આ નિશાન ફેસ પર હોય તો એ જોવાવવામાં પણ બહુ ખરાબ લાગે છે. તે સિવાય ઘણી વાર ઑપરેશનના કારણે શરીર પર નિશાન બની જાય છે. લોકો આ નિશાનને દૂર કરવા માટે ઘણા પ્રકારના ક્રીમ્સનો ઉપયોગ કરે છે. પણ તમે કેટલાક ઘરેલૂ ઉપાયથી પણ તેનાથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને આ નિશાનને હટાવવા માટે એવા  જ ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે જેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી છે. 
1. કાકડી 
જો તમે ઈજાના નિશાનથી એક અઠવાડિયામાં રાહત મેળવા ઈચ્છો છો તો આ ડાઘ પર ખીરા કાકડીનો રસ કે ફેસપેક લગાવો. તેનાથી નિશાન લાઈટ થશે. 
 
2. ડુંગળી 
ડુંગળીના રસને રૂની મદદથી ડાઘ પર લગાવો. તમે તેને દિવસમાં ઘણી વાર અપ્લાઈ કરી શકો છો. ડુંગળીનો રસ સોજા અને બળતરા ઓછું કરવામાં પણ ખૂબ મદદ કરે છે. 
 
3. બેકિંગ સોડા
બેકિંગ સોડાથી તમે એક જ અઠવાડિયામાં ડાઘથી છુટકારો મેળવી શકો છો. તેને લગાવવા માટે એક ચમચી બેકિંગ સોડામાં ત્રણ ચમચી પાણી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. તેને તમે થોડા મિનિટ નિશાન પર લગાવીને ધીમે-ધીમે મસાજ કરો અને પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
4. મધ 
જો તમે કોઈ પણ રીતના ડાઘથી પરેશાન છો તો મધ સૌથી જૂનો ઉપચાર છે. ડાઘથી રાહત મેળવા માટે તમે આર્ગેનિક મધ જ ખરીદવું. તેમાં ઓટમીલ અને પાણે મિક્સ કરી પેક તૈયાર કરી લો. હવે આ પેકને નિશાન વાળી જગ્યા પર લગાવો. 
 
5. એલોવેરા 
એલોવેરા જેલ આમ તો ફેસ માટે બહુ લાભકારી છે. એલોવેરા જેલને ડાઘ પર લગાવો. રાત્રે તેનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે. 
 
6. કોકો બટર 
કોઈ પણ રીતના નિશાન મટાવવા માટે કોકો બટર પણ ખૂન કારગર ઉપાય છે. તેને લગાવવાથી તમારી સ્કિન નરમ થઈ જશે અને સાથે જ આ તમારી સ્કિન પર કોલોજનને વધારવાથી રોકશે. દિવસમાં ત્રણ વાર કોકો બટરથી ડાઘ વાળી જગ્યા પર મસાજ કરો. 

વધુ જુઓ..

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

T20 WC માં એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ, ગ્રુપ બી માંથી કોણે મળશે સેમીફાઈનલની બચેલી ટિકિટ

બ્રાઝિલનો ફિફા વર્લ્ડ કપ પાવર શો: વિનિસિયસનો ડબલ અને નેમારની વાપસીથી સનસનાટી મચી

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

આગળનો લેખ
Show comments