Webdunia - Bharat's app for daily news and videos

Install App

Migrane - માઈગ્રેનથી પરેશાન છો આ રીતે કરો તેના ઉપચાર

શુક્રવાર, 26 નવેમ્બર 2021 (08:52 IST)
બધા જ જાણે છે કે માઈગ્રેનમાં થનારો માથાનો દુ:ખાવો કેટલો ભયંકર હોય છે. આ દુ:ખાવો અચાનક જ શરૂ થાય છે અને તેની જાતે જ બંધ પણ થઈ જાય છે. આના શરૂ થવાના કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી અને તે પણ કહી નથી શકાતુ આ દુ:ખાવો કેટલી વાર સુધી રહેશે.
 
આના નિવારણ માટે ડોક્ટર દ્વારા ઘણી દવાઓ આપવામાં આવે છે જે આપણા શરીરને નુકશાન પણ પહોચાડી શકે છે. આને સતત લેતા રહેવાથી આ દવાઓની શરીરને આદત પણ થઈ જાય છે. આ બિમારી માટે ઘણાં ઘરેલુ ઉપચાર પણ કરી શકાય છે. જે નીચે મુજબ છે-
 
માથાની માલિશ-
હાથના સ્પર્શ દ્વારા મળનારો આરામ અને પ્રેમ કોઈ પણ દવા કરતાં વધારે અસર કરે છે. આ દુ:ખાવામાં જો માથુ, ગરદન, અને ખભાની માલિશ કરવામાં આવે તો આ દુ:ખાવામાં ઘણી મદદ મળી શકે છે. તેને માટે તમે હલ્કી સુગંધવાળા અરોમાતેલનો ઉપયોગ કરી શકો છો.
 
ધીમી ગતિએ શ્વાસ લો-
 
પોતાની શ્વાસની ગતિને થોડીક ધીમી કરી લો. લાંબા શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. આ રીત તમને દુ:ખાવાની સાથે થનાર બેચેનીથી તમને રાહત અપાવશે.
 
ઠંડા અને ગરમ પાણીની મસાજ-
 
એક ટોવેલને ગરમ પાણીમાં ડુબાડીને તે ગરમ ટુવાલ વડે દુ:ખાવાવાળી જગ્યાની માલિશ કરો. ઘણાં લોકોને ઠંડા પાણી દ્વારા કરવામાં આવતી આ રીતની માલિશ દ્વારા પણ આરામ મળે છે. તેના માટે તમે બરફના ટુકડાઓનો પણ ઉપયોગ કરી શકો છો.
 
અરોમા થેરાપી-
અરોમા થેરાપી માઈગ્રેનના દુ:ખાવાથી રાહત આપવા માટે આજકાલ વધારે પસંદ કરવામાં આવે છે. આ રીતમાં હર્બલ તેલ વડે એજ ટેકનીકની માધ્યમથી હવામાં ફેલાઈ દેવામાં આવે છે. કે પછી આને બાફ દ્વારા ચહેરા પર લેવામાં આવે છે. આની સાથે હલવું મ્યુહીક પણ ચલાવાવામાં આવે છે જે મગજને શાંતિ આપે છે.

વધુ જુઓ..

TCS-Wipro એ ડુબાવ્યુ શેર માર્કેટ, સેંસેક્સ-નિફ્ટી ધડામ, જાણો આ ઘટાડાનુ કારણ

કપડાં ફાડી નાખ્યા, માથું મુંડન કરાવ્યું, પેશાબ પીવા માટે મજબૂર કર્યું, વીડિયો રેકોર્ડિંગ; પત્ની પર અત્યાચારનો શરમજનક કિસ્સો

દિલ્હી હાઈકોર્ટે ટેલિગ્રામને ફટકો આપ્યો, કેન્દ્ર દ્વારા રી-નીટ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો

દિલ્હીમાં વાવાઝોડું, બિહારમાં 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો, આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 24 કલાકમાં 76 તાલુકા વરસાદથી તરબોળ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments