Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ખાલી પેટ દોડવું Health માટે ફાયદાકારક કે નુકસાનકારક, જાણો શું કહે છે Experts ?

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (08:09 IST)
આજની બગડતી લાઈફસ્ટાઈલમાં  લોકો ખુદને સ્વસ્થ અને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરવાની એક પણ તક છોડતા નથી. લોકો સમય કાઢીને દોડવાનું અથવા ઝડપથી ચાલવાનું પસંદ કરે છે. દોડવાથી આપણા શરીરનું બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે ઘટે છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. દોડવાથી ફક્ત તમારું વજન જ ઓછું નથી થતું  પણ આપણી ઈમ્યુનીટી અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો સવારે ખાલી પેટ દોડે છે, જ્યારે કેટલાક લોકો  થોડું ઘણું કંઈક ખાધા પછી દોડવું પસંદ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે દોડવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી છે, તો ચાલો આજે જાણીએ કે સવારે ખાલી પેટ દોડવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે કે હાનિકારક?
 
ખાલી પેટ દોડવાના ફાયદા  
 
- વજન ઘટશે -  જો તમારા શરીરને વધેલા વજને જકડી રાખ્યું છે તો  સવારે કંઈપણ ખાધા-પીધા વગર દોડવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
 
- દિલ રહે છે સ્વસ્થ  જો તમે હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરવા માંગતા હોય તો દરરોજ 10 થી 15 મિનિટ દોડો. દોડવાથી આપણું હૃદય વધુ સક્રિય બને છે અને બ્લડ સર્કુલેશન  સુધરે છે.
 
- પાચન સુધરે છે: ખાલી પેટ દોડવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આનાથી તમારી પાચન સબધી સમસ્યા જેવી આંતરડામાં ખેંચાણ, ઉબકા, ઉલટી અને ઝાડા  નો કરવો પડતો નથી.
 
- આવે છે સારી ઊંઘઃ જે લોકો સવારે દોડે છે તેમને સારી ઊંઘ આવે છે. જો તમે પણ રાત્રે પથારીમાં પડખા ફેરવો છો તો આજથી જ આ આદત અપનાવો.
 
ખાલી પેટ દોડવાના નુકશાન - 
 
 જલ્દી લાગશે થાક -  ખાલી પેટ દોડવાથી તમે થાકી શકો છો. ઉલ્લેખનીય છે કે જ્યારે તમે ખાલી પેટ પર દોડો છો તો આવામાં તમારું શરીર ફેટને એનર્જીમાં બદલે છે. પણ શરીર આવું લાંબો સમય સુધી નથી કરી શકતું અને આવી સ્થિતિમાં તમે થાક અનુભવો છો. 
 
વાગવાનો ભય - જેવી તમારા શરીરની એનર્જી ઓછી થાય છે તો તમે થાક અનુભવો છો. જેનાથી તમને વાગવાની શકયતા વધી જાય છે 

વધુ જુઓ..

અયોધ્યાથી મોટા સમાચાર: 22 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે; 5 દિવસમાં ભાવ કેટલા ઘટ્યા છે? આજના તાજેતરના ભાવ શું છે?

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, ફ્લેશ ફ્લડથી ભયાનક તબાહી; 10 લોકોનાં મોત, અનેક લાપતા

દારૂ પીવાથી રોક્યો તો કલયુગી પુત્રે હેવાનિયતની હદ વટાવી, વૃદ્ધ માતાની લાકડીથી માર મારી હત્યા

કોટાના બોયઝ હોસ્ટેલમાં ઘૂસ્યો 5 ફૂટ લાંબો મગર, વિદ્યાર્થીઓમાં મચી દોડધામ; VIDEO સામે આવ્યો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

આગળનો લેખ
Show comments