Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિલાવટી મિઠાઈ કરી શકે છે આરોગ્ય ખરાબ, ખરીદતા પહેલા આ રીતે કરવી અસલી નકલીની ઓળખ

બુધવાર, 19 ઑક્ટોબર 2022 (11:48 IST)
Smart Ways To Check Adulterated Sweets: તહેવારની સીઝન શરૂ થઈ ગયુ છે. લોકો તેમના સંબંધીઓ અને મિત્રોનુ મોઢુ મીઠા કરાવવા માટે બજારમાં મળતી રંગ-બેરંગી મિઠાઈ ખરીદી રહ્યા છે. તેથી દરેક વર્ષ આ સમયે ઓઅણ તહેવારી સીઝનનો ફાયદા ઉપાડતા કેટલાક નફાખોરીઓ નકલી મિઠાઈઓ વેચીને ફાયદો
લેવા ઈચ્છે છે. બજારમાં મળતી આ નકલી મિઠાઈઓ ન માત્ર તમારા મોઢાનો સ્વાદ ખરાબ કરે છે પણ તમારા આરોગ્ય પર પણ ખરાવ અસર જોવા મળી શકે છે. તેથી આવો જાણીએ મિઠાઈ ખરીદતા સમયે કેવી રીતે મિલાવટી મિઠાઈની ઓળખ કરવી 
 
રંગબેરંગી મિઠાઈ ખરીદવાથી પરેજ કરવુ 
જે મિઠાઈઓમાં વધારે રંગ મળ્યા હોય એવી મિઠાઈઓ ખરીદવાથી બચવું. એવી મિઠાઈમાં કલરની ક્વાલિટી યોગ્ય ન હોવાના કારણે આરોગ્યથી સંકળાયેલી પરેશાની થઈ શકે છે. તેની ઓળખ કરવા માટે મિઠાઈ હાથમાં લઈને જુઓ, જો હાથ પર રંગ લાગી જાય છે તો તેને ખરીદવાથી બચવું. મિઠાઈમાં રંગ લાવવા માટે સૌથી વધારે મેટાનિક તેલો અને ટારટ્રાજાઈન મિક્સ કરવામાં આવે છે. તેનાથી કિડની ડેમેજનો ખતરો વધી જાય છે. 
 
માવામાં મિલાવટ 
માવાઆં મિલાવટની ઓળખ માટે ફિલ્ટર આયોડીનની બે ટીંપા નાખો. તેના કાળા પડવુ જણાવે છે કે તેમાં મિલાવટ છે. માવો દાનેદાર હોય તોય પણ મિલાવટી થઈ શકે છે. 
 
આ રીતે ઓળખો નકલી સિલ્વર ફાઈલ 
મિઠાઈને શણગારવા તેમાં ચાંદીનો વર્ક લગાવવામાં આવે છે. પણ આજકાલ મિલાવટના કારણે લોકો મિઠાઈઓ પર નકલી સિલ્વર ફાઈલ લગાવે છે. તેને ઓળખ કરવા માટે મ્મિઠાઈનો એક ટુકડો ઉપાડો અને તેને તમારી આંગળીથી થોડો રગડવું અસલી સિલ્વર ફાઈલ થશે તો તે હટી જશે. પણ નકલી સિલ્વર ફાઈલ એલ્યુમીનિયમથી બનેલુ હોવાના કારણે વધારે જાડુ હોય છે અને સરળતાથી નિકળતો નથી. 
 
નકલી કેસર 
નકલી કેસર પાણીમાં નાખ્યા પછી રંગ છોડવા લાગે છે. અસલી કેસરને પાણીમાં કલાક સુધી રાખ્યા પછી પણ કોઈ અસર થતુ નથી. 
 
ખરાબ મિઠાઈની આ રીતે કરવી ઓળખ 
ખાવાની કોઈ પણ વસ્તુ ખરાવ થવાની ઓળખ કરવી હોય તો સૌથી પહેલા તેની ગંધ ચેક કરવી. તે સિવાય તમે મિઠાઈને ખરીદતા સમયે આ પણ ચેક કરવુ કે તેમાં કોઈ ફંગસ તો નથી લાગી રહી છે. મિઠાઈને તોડીને ચેક કરવુ કે ક્યાંક તેમાં તાર જેવુ તો નથી નિકળી રહ્યુ છે. આ બધા મિઠાઈ ખરાબ થવાના લક્ષણ છે. 

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments