Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tea for summer- ગરમીથી ઠંડક અપાવશે અને લૂ થી બચાવશે આ 5 ચ્હા

Updated: સોમવાર, 21 માર્ચ 2022 (17:21 IST)
તમને સાંભળવામાં થોડુ વિચિત્ર લાગતુ હશે કે ચા તો ગરમી આપે છે. તો પછી ચા પીવાથી અને એ પણ ઉનાળામાં ઠંડક કેવી રીતે મળી શકે છે.
 
બસ તમારે ઋતુ મુજબ ચા બદલવી પડશે.
મોટાભાગના લોકો દિવસની શરૂઆત દૂધવાળી ચા થી કરે છે. પણ ગરમીની ઋતુમાં દૂધની ચા ને બદલે હર્બલ ચા પીવામાં આવે તો વધુ લાભ થશે.
 
હર્બલ ચા એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે. તેથી કેંસર ડાયાબીટિસ અને હાઈ બીપી જેવા રોગોથી બચાવે છે અને શરીરની ગંદકીને બહાર કાઢે છે.
 
અનેક જડી બૂટીયો છે જે ગરમીની ઋતુમાં તમારા શરીરને ઠંડક પહોંચાડે છે અને લૂ હીટ સ્ટ્રોક પેટ સમસ્યાઓથી બચાવે છે.તેનુ રોજ સેવન કરવાથી તમારી પાચન ક્રિયા પણ ઝડપી થાય છે.
 
તો આવો જાણીએ ઠંડક અપાવતી અને શરીરને અનેક બીમારીઓથી બચાવતી પાંચ પ્રકારની ચા વિશે..
 
પહેલી છે તાજા ગુલાબના પાનની ચા - આ ચ્હા પીવાથી ત્વચા પર ચમક વધે છે. અનેક વિટામિન તેમા રહેલા હોય છે. દોઢ કપ પાણી લો અને તેમા એક તાજા ગુલાબના પાન નાખી દો. હવે તેને એક મિનિટ સુધી ઉકાળી લો અને ત્યારબાદ ગાળીને પી લો.
 
બીજી ચ્હા છે ડુંગળીની ચા - ડુંગળીમાં ક્વેરસેટિન નામનુ તત્વ હોય છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં શરીરની મદદ કરે છે. દોઢ કપ પાણી ઉકાળો અને તેમા ડુંગળીના ટુકડા નાખી દો. 1 મિનિટ પછી ગ્રીન ટી નાખીને ઢાંકી દો અને ત્યારબાદ ગાળીને પી લો.
 
ત્રીજી ચા છે ગ્રીન ટી - ગ્રીન ટીમાં અનેક મહત્વપૂર્ણ એંટીઓક્સીડેટ્સ હોય છે જે પાચન પ્રક્રિયાને ઝડપી કર છે અને વજન ઓછુ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટીનુ રોજ સેવન કરવાથી ડાયાબીટિસ કેંસર અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓથી બચી શકાય છે.
ખુલી ગ્રીન ટી નો ઉપયોગ વધુ લાભકારી હોય છે.
 
ચોથી ચા છે તુલસીની ચા - તુલસી પણ એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે. ગરમ પાણીમાં 6-7 તુલસીના પાન નાખીને સારી રીતે ધોઈ લો. 2 મિનિટ મુક્યા પછી તેને ગાળી લો. અડધા લીંબુનો રસ અને નાની ચમચી મધ નાખીને પીવો. પેટ આખો કિડની અને દિલ માટે ખૂબ લાભકારી છે.
 
પાંચમુ છે ફુદીનાની ચા - ફુદીનો પેટ માટે લાભકારી માનવામાં આવે છે.
ફુદીનામાં ઘણી માત્રામાં એંટીઓક્સીડેંટ્સ હોય છે. ફુદીનામાં વિટામિન એ, મેગ્નેશિયમ, ફૉલેટ અને આયરન ભરપૂર હોય છે.
આ પેટમાં બનનારા પાચક રસને વધારે છે.
ઉકળતા પાણીમાં બે મોટી ચમચી ફુદીનાના પાન નાખીને દસ પંદર મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી ગાળીને પીવો. ચાહો તો મધ નાખો.
 

વધુ જુઓ..

હવામાનનો કહેર નહીં ઝેલી શકે ભારતના આ શહેરો! દુનિયાના ટોપ 20 ‘ડેન્જર’ શહેરોમાં અમદાવાદનો સમાવેશ

ગંગા નદીમાં ભયાનક પૂર, 150 વર્ષ જૂનું શિવ મંદિર પાણીમાં ગરકાવ; 62 ગામો ડૂબ્યાં

કરોડપતિ પરિવારની વહુ હતી, પણ સસરાનો હતો કંટ્રોલ, કેમેરાથી રાખતો હતો નજર..પુત્રવધુએ જ કરાવ્યુ મર્ડર

મોહલ્લાની પંચાત બની કમાણીનું સાધન, મહિલાએ ગોસિપ વેચીને બનાવી લીધા બે મકાન

એપલ પહેલા Xiaomi એ વાઈડ ડિસ્પ્લે વાળો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો, 6000mAh બેટરી હશે

વધુ જુઓ..

ગણેશ ચતુર્થી પર ઘરે લાવવા માંગો છો બાપ્પાની મૂર્તિ તો આ વાતોનું રાખો ઘ્યાન, જાણો સૂંઢની દિશા સાથે જોડાયેલ ખાસ વાતો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 સપ્ટેમ્બર 2026

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

આગળનો લેખ
Show comments